Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 18 (21. Kriyakandachoolika).

< Previous Page   Next Page >


Page 350 of 378
PDF/HTML Page 376 of 404

 

background image
અનુવાદ : હે જિનેશ્વર! હે ત્રણ લોકના ચૂડામણિ વિભો! તમને નમસ્કાર
હો. હું સંસારના ભયથી આપના શરણે આવ્યો છું. વિદ્વાનોએ તે સંસારનો નાશ કરવા
માટે આ જ તત્ત્વ બતાવ્યું છે, તેથી મેં દ્રઢચિત્ત કરીને આનું જ આલંબન લીધું છે
કારણ એ છે કે અહીં સંસારનો નાશ કરનાર તમે જ છો. ૧૭.
(वसंततिलका)
अर्हन् समाश्रितसमस्तनरामरादि-
भव्याब्जनन्दिवचनांशुरवेस्तवाग्रे
मौखर्यमेतदबुधेन मया कृतं यत्-
तद्भूरिभक्ति रभसस्थितमानसेन
।।१८।।
અનુવાદ : હે અરહંત! જેમ સૂર્ય પોતાના કિરણો દ્વારા સમસ્ત કમળોને
પ્રફુલ્લિત કરે છે તેવી જ રીતે આપ પણ સભા (સમવસરણ) માં આવેલ સમસ્ત
મનુષ્ય અને દેવ આદિ ભવ્ય જીવો રૂપ કમળોને પોતાના વચનરૂપ કિરણો દ્વારા
પ્રફુલ્લિત કરો છો. આપની આગળ જે વિદ્વતા વિનાના મેં આ વાચાળતા (સ્તુતિ)
કરી છે તે કેવળ આપની મહાન ભક્તિના વેગમાં મન સ્થિત હોવાથી અર્થાત્ મનમાં
અતિશય ભક્તિ હોવાથી જ કરી છે. ૧૮.
આ રીતે ક્રિયાકાંડચૂલિકા સમાપ્ત થઈ. ૨૧.
૩૫૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ