૨૨. એકત્વભાવનાદશક
[२२. एकत्वभावनादशकम् ]
(अनुष्टुभ् )
स्वानुभूत्यैव यद्गम्यं रम्यं यच्चात्मवेदिनाम् ।
जल्पे तत्परमं ज्योतिरवाङ्मानसगोचरम् ।।१।।
અનુવાદ : જે પરમ જ્યોતિ કેવળ સ્વાનુભવથી જ ગમ્ય (પ્રાપ્ત કરવા યોગ્ય)
તથા આત્મજ્ઞાનીઓને રમણીય છે તે વચન અને મનના અવિષયભૂત પરમ (ઉત્કૃષ્ટ)
જ્યોતિના વિષયમાં હું કાંઈક કહું છું . ૧.
(अनुष्टुभ् )
एकत्वैकपदप्राप्तमात्मतत्त्वमवैति यः ।
आराध्यते स एवान्येस्तस्याराध्यो न विद्यते ।।२।।
અનુવાદ : જે ભવ્ય જીવ એકત્વ ( અદ્વૈત) રૂપ અદ્વિતીયપદને પામેલ
આત્મતત્ત્વને જાણે છે તે પોતે જ બીજાઓ દ્વારા આરાધાય છે અર્થાત્ બીજા પ્રાણી
તેની જ આરાધના કરે છે, તેના આરાધ્ય (પૂજનીય) બીજું કોઈ રહેતું નથી. ૨.
(अनुष्टुभ् )
एकत्वज्ञो बहुभ्यो ऽपि कर्मभ्यो न बिभेति सः ।
योगी सुनौगतो ऽम्भोधिजलेभ्य इव धीरधीः ।।३।।
અનુવાદ : જેમ ઉત્કૃષ્ટ નાવને પ્રાપ્ત થયેલ ધીરબુદ્ધિ (સાહસી) મનુષ્ય
સમુદ્રના અપરિમિત જળથી ડરતો નથી તેવી જ રીતે એકત્વનો જાણકાર તે યોગી
ઘણા કર્મોથી પણ ડરતો નથી. ૩.
૩૫૧