Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 4-8 (22. Aekatvadasak).

< Previous Page   Next Page >


Page 352 of 378
PDF/HTML Page 378 of 404

 

background image
(अनुष्टुभ् )
चैतन्यैकत्वसंवित्तिर्दुंर्लभा सैव मोक्षदा
लब्धा कथं कथंचिच्चेच्चिन्तनीया मुहुर्मुहुः ।।।।
અનુવાદ : ચૈતન્યરૂપ એકત્વનું જ્ઞાન દુર્લભ છે, પરંતુ મોક્ષ આપનાર તે જ છે.
જો તે કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થઈ જાય તો તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ. ૪.
(अनुष्टुभ् )
मोक्ष एव सुखं साक्षात्तच्च साध्यं मुमुक्षुभिः
संसारे ऽत्र तु तन्नास्ति यदस्ति खलु तन्न तत् ।।।।
અનુવાદ : વાસ્તવિક સુખ મોક્ષમાં છે અને તે મુમુક્ષુજનો દ્વારા સિદ્ધ કરવા યોગ્ય
છે. અહીં સંસારમાં તે સુખ નથી. અહીં જે સુખ છે તે નિશ્ચયથી યથાર્થ સુખ નથી. ૫.
(अनुष्टुभ् )
किंचित्संसारसंबन्धि बन्धुरं नेति निश्चयात्
गुरूपदेशतो ऽस्माकं निःश्रेयसपदं प्रियम् ।।।।
અનુવાદ : સંસાર સંબંધી કોઈ પણ વસ્તુ રમણીય નથી, આ જાતનો અમને
ગુરુના ઉપદેશથી નિશ્ચય થઈ ગયો છે. એ જ કારણે અમને મોક્ષપદ પ્યારૂં છે. ૬.
(अनुष्टुभ् )
मोहोदयविषाक्रान्तमपि स्वर्गसुखं चलम्
का कथापरसौख्यानामलं भवसुखेन मे ।।।।
અનુવાદ : મોહના ઉદયરૂપ વિષથી મિશ્રિત સ્વર્ગનું સુખ પણ જો નશ્વર હોય
તો ભલા બીજા તુચ્છ સુખોના સંબંધોમાં શું કહેવું? અર્થાત્ તે તો અત્યંત વિનશ્વર અને
હેય છે જ. તેથી મને એવા સંસારસુખથી બસ થાવ
હું એવું સંસારસુખ ચાહતો નથી. ૭.
(अनुष्टुभ् )
लक्ष्यीकृत्य सदात्मानं शुद्धबोधमयं मुनिः
आस्ते यः सुमतिश्चात्र सो ऽप्यमुत्र चरन्नपि ।।।।
૩૫૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ