અનુવાદ : જે નિર્મળ બુદ્ધિ ધારણ કરનાર મુનિ આ લોકમાં નિરંતર શુદ્ધ
જ્ઞાનસ્વરૂપ આત્માનું લક્ષ્ય રાખીને રહે છે તે પરલોકમાં સંચાર કરવા છતાં પણ તે
જ રીતે રહે છે. ૮.
(अनुष्टुभ् )
वीतरागपथे स्वस्थः प्रस्थितो मुनिपुङ्गवः ।
तस्य मुक्ति सुखप्राप्तेः कः प्रत्यूहो जगत्त्रये ।।९।।
અનુવાદ : જે શ્રેષ્ઠ મુનિ આત્મલીન થઈને વીતરાગમાર્ગ અર્થાત્ મોક્ષમાર્ગમાં
પ્રસ્થાન કરી રહ્યો છે તેને મોક્ષસુખની પ્રાપ્તિમાં ત્રણે લોકમાં કોઈ પણ વિઘ્ન ઉપસ્થિત
થઈ શકતું નથી. ૯.
(अनुष्टुभ् )
इत्येकाग्रमना नित्यं भावयन् भावनापदम् ।
मोक्षलक्ष्मीकटाक्षालिमालासद्म स जायते ।।१०।।
અનુવાદ : આ રીતે એકાગ્રમન થઈને જે મુનિ સર્વદા આ ભાવનાપદ (એકત્વ
ભાવના) ને ભાવે છે તે મુક્તિરૂપ લક્ષ્મીની કટાક્ષ પંક્તિઓની માળાનું સ્થાન બની
જાય છે, અર્થાત્ તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ૧૦.
(अनुष्टुभ् )
एतज्जन्मफलं धर्मः स चेदस्ति ममामलः ।
आपद्यपि कुतश्चिन्ता मृत्योरपि कुतो भयम् ।।११।।
અનુવાદ : આ મનુષ્ય જન્મનું ફળ ધર્મની પ્રાપ્તિ છે. તે નિર્મળ ધર્મ જો
મારી પાસે છે તો પછી મને આપત્તિના વિષયમાં પણ શી ચિન્તા છે તથા મૃત્યુથી
પણ શો ડર છે? અર્થાત્ તે ધર્મ હોતાં ન તો આપત્તિની ચિન્તા રહે છે અને ન
મરણનો ડર પણ રહે છે. ૧૧.
આ રીતે એકત્વભાવના દશક અધિકાર સમાપ્ત થયો. ૨૨.
❁
અધિકાર – ૨૨ઃ એકત્વભાવનાદશક ]૩૫૩