૨૩. પરમાર્થવિંશતિ
[२३. परमार्थविंशतिः ]
(शार्दूलविक्रीडित)
मोहद्वेषरतिश्रिता विकृतयो द्रष्टाः श्रुताः सेविताः
वारंवारमनन्तकालविचरत्सर्वाङ्गिभिः संसृतौ ।
अद्वैतं पुनरात्मनो भगवतो दुर्लक्ष्यमेकं परं
बीजं मोक्षतरोरिदं विजयते भव्यात्मभिर्वन्दितम् ।।१।।
અનુવાદ : સંસારમાં અનંતકાળથી વિચરણ કરતાં સર્વ પ્રાણીઓએ મોહ,
દ્વેષ અને રાગના નિમિત્તે થતાં વિકારો વારંવાર જોયા છે, સાંભળ્યા છે અને
સેવ્યા પણ છે. પરંતુ ભગવાન આત્માનું એક અદ્વૈત જ કેવળ દુર્લક્ષ્ય છે અર્થાત્
તેને હજી સુધી જોયો નથી, સાંભળ્યો નથી અને સેવન પણ કર્યું નથી. ભવ્ય
જીવોથી વંદિત મોક્ષરૂપ વૃક્ષના બીજભૂત આ અદ્વૈત જયવંત હો. ૧.
(शार्दूलविक्रीडित)
अन्तर्बाह्यविकल्पजालरहितां शुद्धैकचिद्रूपिणीं
वन्दे तां परमात्मनः प्रणयिनीं कृत्यान्तगां स्वस्थताम् ।
यत्रानन्तचतुष्टयामृतसरित्यात्मानमन्तर्गतं
न प्राप्नोति जरादिदुःसहशिखो जन्मोग्रदावानलः ।।२।।
અનુવાદ : જે સ્વસ્થતા અંતરંગ અને બાહ્ય વિકલ્પોના સમૂહ રહિત છે,
શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ સહિત છે, પરમાત્માની વલ્લભા (પ્રિયતમા) છે, કૃત્ય
૩૫૪