Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 5-7 (23. Paramarthvinshati).

< Previous Page   Next Page >


Page 356 of 378
PDF/HTML Page 382 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
यो जानाति स एव पश्यति सदा चिद्रूपतां न त्यजेत्
सो ऽहं नापरमस्ति किंचिदपि मे तत्त्वं सदेतत्परम्
यच्चान्यत्तदशेषमन्यजनितं क्रोधादि कायादि वा
श्रुत्वा शास्त्रशतानि संप्रति मनस्येतच्छुतं वर्तते
।।।।
અનુવાદ : જે જાણે છે તે જ દેખે છે અને તે નિરંતર ચૈતન્યસ્વરૂપને છોડતો
નથી. તે જ હું છું, એનાથી ભિન્ન બીજું મારૂં કોઈ સ્વરૂપ નથી. આ સમીચીન ઉત્કૃષ્ટ
તત્ત્વ છે. ચૈતન્યસ્વરૂપથી ભિન્ન જે ક્રોધાદિ વિભાવભાવ અથવા શરીર આદિ છે તે
સર્વ અન્ય અર્થાત્ કર્મથી ઉત્પન્ન થયા છે. સેંકડો શાસ્ત્રો સાંભળીને અત્યારે મારા
મનમાં આ જ એક શાસ્ત્ર (અદ્વૈત તત્ત્વ) વર્તમાન છે. ૫.
(शार्दूलविक्रीडित)
हीनं संहननं परीषहसहं नाभूदिदं सांप्रतं
काले दुःख[ष]मसंज्ञके ऽत्र यदपि प्रायो न तीव्रं तपः
कश्चिन्नातिशयस्तथापि यदसावार्तं हि दुष्कर्मणा-
मन्तः शुद्धचिदात्मगुप्तमनसः सर्वं परं तेन किम्
।।।।
અનુવાદ : જો કે અત્યારે આ સંહનન (હાડકાનું બંધન) પરીષહો (ક્ષુધા,
તૃષા આદિ) સહન કરી શકતું નથી અને આ દુઃષમા નામના પાંચમા કાળે તીવ્ર
તપ પણ સંભવિત નથી, તો પણ એ કોઈ ખેદની વાત નથી, કેમ કે એ અશુભ
કર્મોની પીડા છે. અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં મનને સુરક્ષિત કરનાર મને
તે કર્મકૃત પીડાથી શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નથી. ૬.
(शार्दूलविक्रीडित)
सद्द्रग्बोधमयं विहाय परमानन्दस्वरूपं परं
ज्योतिर्नान्यदहं विचित्रविलसत्कर्मैकतायामपि
कार्ष्णो कृष्णपदार्थसंनिधिवशाज्जाते मणौ स्फाटिके
यत्तस्मात्पृथगेव स द्वयकृतो लोके विकारो भवेत्
।।।।
૩૫૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ