(शार्दूलविक्रीडित)
यो जानाति स एव पश्यति सदा चिद्रूपतां न त्यजेत्
सो ऽहं नापरमस्ति किंचिदपि मे तत्त्वं सदेतत्परम् ।
यच्चान्यत्तदशेषमन्यजनितं क्रोधादि कायादि वा
श्रुत्वा शास्त्रशतानि संप्रति मनस्येतच्छुतं वर्तते ।।५।।
અનુવાદ : જે જાણે છે તે જ દેખે છે અને તે નિરંતર ચૈતન્યસ્વરૂપને છોડતો
નથી. તે જ હું છું, એનાથી ભિન્ન બીજું મારૂં કોઈ સ્વરૂપ નથી. આ સમીચીન ઉત્કૃષ્ટ
તત્ત્વ છે. ચૈતન્યસ્વરૂપથી ભિન્ન જે ક્રોધાદિ વિભાવભાવ અથવા શરીર આદિ છે તે
સર્વ અન્ય અર્થાત્ કર્મથી ઉત્પન્ન થયા છે. સેંકડો શાસ્ત્રો સાંભળીને અત્યારે મારા
મનમાં આ જ એક શાસ્ત્ર (અદ્વૈત તત્ત્વ) વર્તમાન છે. ૫.
(शार्दूलविक्रीडित)
हीनं संहननं परीषहसहं नाभूदिदं सांप्रतं
काले दुःख[ष]मसंज्ञके ऽत्र यदपि प्रायो न तीव्रं तपः ।
कश्चिन्नातिशयस्तथापि यदसावार्तं हि दुष्कर्मणा-
मन्तः शुद्धचिदात्मगुप्तमनसः सर्वं परं तेन किम् ।।६।।
અનુવાદ : જો કે અત્યારે આ સંહનન (હાડકાનું બંધન) પરીષહો (ક્ષુધા,
તૃષા આદિ) સહન કરી શકતું નથી અને આ દુઃષમા નામના પાંચમા કાળે તીવ્ર
તપ પણ સંભવિત નથી, તો પણ એ કોઈ ખેદની વાત નથી, કેમ કે એ અશુભ
કર્મોની પીડા છે. અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં મનને સુરક્ષિત કરનાર મને
તે કર્મકૃત પીડાથી શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નથી. ૬.
(शार्दूलविक्रीडित)
सद्द्रग्बोधमयं विहाय परमानन्दस्वरूपं परं
ज्योतिर्नान्यदहं विचित्रविलसत्कर्मैकतायामपि ।
कार्ष्णो कृष्णपदार्थसंनिधिवशाज्जाते मणौ स्फाटिके
यत्तस्मात्पृथगेव स द्वयकृतो लोके विकारो भवेत् ।।७।।
૩૫૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ