આધારે પ્રો૦ એ. એન. ઉપાધ્યે અને પ્રો૦ હીરાલાલ જૈને આ ગ્રન્થનું સંપાદન કરેલ અને તેનો
હિંદી ભાષામાં અનુવાદ પં. બાલચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રીએ કરેલ, જે ‘જીવરાજ ગ્રંથમાલા’માં પ્રકાશિત
થયેલ તેના ઉપરથી આ ગુજરાતી ભાષાંતર બ્ર૦ વ્રજલાલ ગિરધરલાલ શાહે (વઢવાણ શહેર)
કરી આપેલ છે. બ્રહ્મચારી ભાઈ શ્રી વજુભાઈએ આ ઉપરાંત બીજાં અનેક શાસ્ત્રોનાં ભાષાંતર
નિસ્પૃહપણે કરેલ છે. તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.
વર્તમાનમાં પણ આ શાસ્ત્રના અનેક શ્લોકો વિદ્વદ્વર્ગમાં અતિશય પ્રચલિત છે.
રસાસ્વાદ સ્વાધ્યાયપૂર્વક કરવા વાચકવર્ગને ભલામણ છે. પ્રતિપાદનની શૈલી ઘણી જ સરળ અને
રુચિકર છે. બે સ્તુતિ (૧૩-૧૪) પ્રાકૃત ભાષામાં રચેલી છે. બાકીની તમામ રચના સંસ્કૃત
શ્લોકોમાં છે. કુલ ૯૩૯ પદોનો સંગ્રહ આ ગ્રંથમાં છે.
ગ્રંથમાલાના અધિકારીવર્ગનો તથા હિંદી અનુવાદકનો આભાર માનવામાં આવે છે. ગુજરાતી
ભાષાંતર સહિત આ શાસ્ત્ર પ્રથમવાર આ પહેલાં શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ,
ભાવનગરથી પ્રકાશિત થયેલ છે.
રુચિના પોષણ અર્થે આ ટ્રસ્ટ દ્વારા અધ્યાત્મપ્રધાન શાસ્ત્રોનાં પ્રકાશનનું કાર્ય અવિરતપણે પ્રવર્તી
રહ્યું છે. તે અંતર્ગત શ્રી ‘પદ્મનંદિ
પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય ભગવતી માતા (બહેનશ્રી ચંપાબેન)ના ધર્મોપકારને જ આભારી છે.