છીએ. સમ્યગ્જ્ઞાનરૂપ નિધિને ધારણ કરનાર વિદ્વાનોએ આમાં કાંઈ છળ નહીં
સમજવું જોઈએ. કારણ કે સર્વ કર્મોના અધિપતિસ્વરૂપ મોહ, શક્તિશાળી
અંતરાયરૂપ શત્રુ તથા દર્શનાવરણ અને જ્ઞાનાવરણ આ ચાર ઘાતિ કર્મો વિદ્યમાન
હોય ત્યારે મારા જેવા અલ્પજ્ઞાનીઓને તેવી ઉત્કૃષ્ટ બુદ્ધિ ક્યાંથી હોઈ શકે? ૧૧૦.
शृङ्गारादिरसैः प्रमोदजनकं व्याख्यानमातन्वते
येभ्यस्तत्परमात्मतत्त्वविषयं ज्ञानं तु ते दुर्लभाः
વિસ્તાર કરીને તેમને મુગ્ધ કરે છે તે કવિઓ તો અહીં ઘરે ઘરે અનેક છે. પણ જેમની
પાસેથી પરમાત્મતત્ત્વ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે તે તો દુર્લભ જ છે. ૧૧૧.
मोहात्सर्वजनस्य चेतसि सदा सत्सु स्वभावादपि
शृङ्गारादिरसं तु सर्वजगतो मोहाय दुःखाय च
કરે છે. ઉક્ત દોષોનો નાશ કરવા તથા સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી રચવામાં
આવેલું કવિનું કાવ્ય સફળ થાય છે. એનાથી વિપરીત શૃંગારાદિ રસપ્રધાન કાવ્ય
તો સર્વ જીવોને મોહ અને દુઃખ જ ઉત્પન્ન કરનાર થાય છે. ૧૧૨.