શબ્દાયમાન થઈ રહ્યું છે. આ પ્રમાણે તે લંકામાં પધાર્યા. લંકાના લોકો પોતાના નાથનું
આગમન જોઈ, દર્શનાતુર, હાથમાં અર્ધ્ય, પત્ર, પુષ્પ, રત્ન લઈ, સુંદર વસ્ત્રાભૂષણ પહેરી
રાગરંગ સહિત રાવણની સમીપમાં આવ્યા. વૃદ્ધોને આગળ કરી, પોતે પાછળ રહી,
નમસ્કાર કરી કહેવા લાગ્યા, ‘હે નાથ! લંકાના લોકો ભગવાન અજિતનાથના સમયથી
આપના કુળના શુભચિંતક છે, સ્વામીને અતિ પ્રબળ જોઈને ખૂબ પ્રસન્ન થયા છે.’ તેમણે
જાતજાતની આશિષ આપી ત્યારે રાવણે આશ્વાસન આપીને બધાને બક્ષિસ આપી. સૌ
રાવણનાં ગુણગાન કરતા કરતા પોતપોતાને ઘેર ગયા.
મહેલમાં રાજકુટુંબ માણસો સાથે સુખેથી રહેવા લાગ્યો. મહેલ ચુડામણિ સમાન મનોહર છે.
બીજા વિદ્યાધરો પણ યથાયોગ્ય સ્થાનોમાં આનંદથી રહ્યા. તેમનાં ચરિત્ર દેવસમાન હતાં.
થાય છે અને તેમના પ્રબળ શત્રુઓ નિર્મૂળ થાય છે, ત્રણ લોકમાં તેમનાં ગુણ વિસ્તરે છે.
આ જીવના પ્રચંડ વેરી પાંચ ઇન્દ્રિયોના વિષય છે, તે જીવની બુદ્ધિ હરે છે અને પાપનો
બંધ કરે છે. આ ઇન્દ્રિયોના વિષયો પુણ્યના પ્રસાદથી વશીભૂત થાય છે અને રાજાઓના
બહારના શત્રુ, જે પ્રજાના પીડક છે, તે પણ આવીને પગમાં પડે છે. આમ જાણીને જે
ધર્મના વિરોધી વિષયરૂપ વેરી છે તે વિવેકીજનો દ્વારા વશ કરવા યોગ્ય છે, તેમનું સેવન
સર્વથા ન કરવું. જેમ સૂર્યનાં કિરણોથી પ્રકાશ થતાં સુદ્રષ્ટિજનો અધંકારથી ઘેરાયેલા ઊંડા
ખાડામાં પડતા નથી તેમ જે ભગવાનના માર્ગમાં પ્રવર્તે છે તેમને પાપવૃદ્ધિની પ્રવૃત્તિ થતી નથી.
પર્વ પૂર્ણ થયું.
ગુણસંપન્ન પુત્ર થયો તેનું વર્ણન કરીએ છીએ તે હે ભવ્ય! તું સાંભળ. કેવો છે વાલી?
સદા ઉપકારી, શીલવાન, પંડિત, પ્રવીણ, ધીર, લક્ષ્મીવાન, શૂરવીર, જ્ઞાની, અનેક
કળાસંયુક્ત, સમ્યગ્દ્રષ્ટિ,