મહાબળવાન, રાજનીતિમાં પ્રવીણ, ધૈર્યવાન, દયાર્દ ચિત્તવાળો, વિદ્યાના સમૂહથી ગર્વિત,
કાંતિવાન, તેજસ્વી છે.
અતિશ્રેષ્ઠ ભક્તિયુક્ત, સંશયરહિત, શ્રદ્ધાળુ, જંબૂદ્વીપનાં સર્વ ચૈત્યાલયોનાં દર્શન કરી
આવ્યા છે. તે મહાપરાક્રમી શત્રુઓને જીતનાર, નગરના લોકોનાં નેત્રરૂપી કુમુદોને
પ્રફુલ્લિત કરવા માટે ચંદ્રમા સમાન, જેને કોઈની શંકા નથી, કિહકંધપુરમાં દેવ પેઠે રમે છે.
કિહકંધપુર મહારમણીય, નાના પ્રકારના રત્નમયી મહેલોથી મંડિત, ગજતુરંગરથાદિથી પૂર્ણ,
અનેક પ્રકારના વ્યાપારથી ભરેલું, સુંદર બજારોવાળું છે. વાલીને ક્રમથી નાનો ભાઈ સુગ્રીવ
હતો. તે પણ ધીરવીર, મનોજ્ઞ, રૂપવાન, નીતિમાન અને વિનયવાન છે. બન્નેય વીરો
કુળનું આભૂષણ હતા. સુગ્રીવ પછી શ્રીપ્રભા નામની બહેન જન્મી. તે સાક્ષાત્ લક્ષ્મીરૂપમાં
અતુલ્ય હતી. સૂર્યરજના નાના ભાઈ રક્ષરજની રાણી હરિકાંતાને નલ અને નીલ નામના
પુત્ર થયા. સજ્જનોને આનંદ આપનાર, દુશ્મનોથી નિર્ભય જાણે કિહકંધપુરની શોભા જ
હતા. આ બન્ને ભાઈઓને બબ્બે મહાગુણવાન પુત્રો થયા. રાજા સૂર્યરજ પાતાના પુત્રોને
યુવાન થયેલા જોઈ, મર્યાદાના પાલક જાણી, પોતે વિષયોને વિષમિશ્રિત અન્ન સમાન
જાણી સંસારથી વિરક્ત થયા. રાજા સૂર્યરજ જ્ઞાની છે. તેણે વાલીને રાજ્ય આપ્યું અને
સુગ્રીવને યુવરાજપદ આપ્યું અને પોતે આ ચતુર્ગતિરૂપ જગતને દુઃખથી પીડિત જોઈને
વિહતમોહ નામના મુનિના શિષ્ય થયા. ભગવાને ચારિત્રનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું
ચારિત્ર તેમણે અંગીકાર કર્યું. મુનિ સૂર્યરજને શરીરમાં પણ મમત્વ નથી, જેનું અંતઃકરણ
આકાશ જેવું નિર્મળ છે, સમસ્ત પરિગ્રહરહિત થઈને તેમણે પવનની જેમ પૃથ્વી પર
વિહાર કર્યો, વિષયકષાયરહિત મુક્તિના તે અભિલાષી થયા.
ભોગવતા કિહકંધપુરમાં રાજ્ય કરતા.
ઇચ્છતો હતો. એક દિવસ રાજા રાવણ રાજા પ્રવરની રાણી આવલીની પુત્રી તનૂદરીને
પરણવા ગયો હતો અને લંકા રાજા વિનાની હતી તેથી ચિંતારહિત થઈ તે ચંદ્રનખાને હરી
ગયો. ખરદૂષણ અનેક વિદ્યાનો ધારક, માયાચારમાં પ્રવીણ બુદ્ધિવાળો છે. જોકે કુંભકરણ
અને વિભીષણ બન્ને શૂરવીર હતા, પણ છિદ્ર દેખીને માયાચારથી તે કન્યાને ઉપાડી ગયો.
તેની પાછળ સેના દોડી, પણ કુંભકરણ અને વિભીષણે તેમને એમ જાણીને પાછળ
જવાની મના કરી કે ખરદૂષણ પકડાવાનો તો હતો નહિ અને તેને મારવો યોગ્ય નહોતો.
જ્યારે રાવણ આવ્યો અને આ વાત