પાછળ જવા તત્પર થયો. રાવણ મહામાની હતો. તેણે એક ખડ્ગ જ લીધું અને સેનાને
પણ સાથે ન લીધી. તેણે વિચાર્યું કે જે પરાક્રમી છે તેને એક ખડ્ગનો જ સહારો છે. તે
વખતે મંદોદરીએ તેને હાથ જોડીને વિનંતી કરી કે ‘હે પ્રભો! આપ પ્રગટ લૌકિક
સ્થિતિના જ્ઞાતા છો, પોતાના ઘરની કન્યા બીજાને આપવી અને બીજાની પોતે લેવી.
કન્યાની ઉત્પત્તિ એવી જ છે. વળી, ખરદૂષણ ચૌદ હજાર વિદ્યાધરોનો સ્વામી છે, જે
વિદ્યાધરો યુદ્ધથી કદી પાછા ન ભાગે એવા બળવાન છે. આ ખરદૂષણને અનેક સહસ્ત્ર
વિદ્યા સિદ્ધ છે, મહા ગર્વિષ્ઠ છે, આપના જેવો શૂરવીર છે એ વાત શું આપે સાંભળી
નથી? આપની અને તેની વચ્ચે ભયાનક યુદ્ધ થાય તો પણ હારજીતનો સંદેહ રહે છે. તે
કન્યાનું અપહરણ કરીને લઈ ગયો છે એટલે તે હરી જવાથી દૂષિત બની છે. તે
ખરદૂષણને મારવાથી વિધવા થશે. સૂર્યરજ મુક્તિ પામ્યા પછી ચંદ્રોદય વિદ્યાધર
પાતાળલંકામાં થાણેદાર હતો તેને કાઢી મૂકીને આ ખરદૂષણ આપની બહેન સાથે
પાતાળલંકામાં રહે છે, આપનો સંબંધી છે.’ ત્યારે રાવણે કહ્યું કે હે પ્રિયે! હું યુદ્ધથી કદી
પણ ડરતો નથી, પણ તારું વચન ન ઉલ્લંઘવા અને બહેનને વિધવા ન બનાવવા હું એને
ક્ષમા કરું છું. તેથી મંદોદરી પ્રસન્ન થઈ.
પર્વત પર એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મ એક શિલા પર થયો. તે શિલા
કોમલ પલ્લવ અને પુષ્પોના સમૂહથી સંયુક્ત હતી. અનુક્રમે બાળક મોટો થયો. આ
વનવાસિની માતા ઉદાસ ચિત્તે પુત્રની આશાથી પુત્રનું પાલન કરતી. જ્યારથી આ પુત્ર
ગર્ભમાં આવ્યો ત્યારથી એનાં માતાપિતાની એના વેરીઓએ વિરાધના કરી હતી તેથી
એનું નામ વિરાધિત પાડવામાં આવ્યું. આ વિરાધિત રાજ્યસંપદા વિનાનો હતો. તે જ્યાં
જતો ત્યાં તેનો અનાદર થતો. જે પોતાના સ્થાનથી ભ્રષ્ટ હોય તેનું સન્માન ક્યાંથી થાય?
જેમ શિર ઉપરથી ઊતરેલા કેશ આદર પામતા નથી તેમ. આ રાજપુત્ર ખરદૂષણને જીતવા
સમર્થ નહોતો એટલે મનમાં ખરદૂષણનો ઉપાય વિચારતો સાવધાન રહેતો અને અનેક
દેશોમાં ભ્રમણ કરતો. તે ષટ્કુલાચલ અને સુમેરુ આદિ પર્વત પર ચડતો, રમણીક વનમાં
જે અતિશય સ્થાન છે, જ્યાં દેવોનું આગમન થાય છે ત્યાં એ ફરતો, સંગ્રામમાં યોદ્ધાઓ
લડતા તેમનાં ચરિત્ર દેખતો, આકાશમાં દેવોની સાથે સંગ્રામ દેખતો. આ પ્રમાણે વિરાધિત
કાળક્ષેપ કરતો અને લંકામાં રાવણ ઇન્દ્રની જેમ સુખેથી રહેતો.
મહાબુદ્ધિમાન હતો. તે કિહકંધપુર જઈને વાલીને કહેવા લાગ્યો “હે વાનરાધીશ! દશમુખે
તમને આજ્ઞા કરી છે તે સાંભળો. દશમુખ મહાબલી, મહાતેજસ્વી, મહાઉદયવાન, પ્રચંડને
દંડ દેનાર, જેના