એવું પ્રસિદ્ધ કર્યું કે રાજાને શરીરમાં કોઈક રોગ થયો છે. એક મંત્રી અને બીજો પૂતળું
બનાવનાર આ બે જ રહસ્ય જાણતા હતા. અરે, એમને પણ જોઈને એવો ભ્રમ ઉપજતો
કે તે રાજા જ છે. અને આવી જ બાબત રાજા જનકની પણ થઈ. જે પંડિત હોય છે
તેમને એકસરખો જ વિચાર આવે છે. મંત્રીઓની બુદ્ધિ સૌથી વિશેષ પ્રકારે કામ કરે છે.
આ બન્ને રાજાઓ લોકસ્થિતિના જાણકાર હોઈ પૃથ્વી પર ગુપ્ત રીતે ફર્યા કરતા.
આપત્તિના સમયમાં જે રીત કરવાની હોય છે તે પ્રમાણે તે આચરણ કરતાં. જેમ
વર્ષાઋતુમાં ચંદ્ર-સૂર્ય મેઘના જોરથી છુપાઈ રહે છે તેમ જનક અને દશરથ બન્ને છુપાઈને રહ્યા.
ભોગોના ભોક્તા હતા તે અત્યારે પગે ચાલીને, ગરીબ માણસોની જેમ, કોઈના સંગાથ
વિના એકલા ભ્રમણ કરતા હતા. ધિક્કાર છે સંસારના સ્વરૂપને! આમ નિશ્ચય કરીને જે
પ્રાણી સ્થાવર-જંગમ સર્વ જીવોને અભયદાન આપે છે તે પોતે પણ ભયથી કંપાયમાન
થતા નથી. આ અભયદાન જેવું બીજું કોઈ દાન નથી, જેણે અભયદાન આપ્યું તેણે બધું
જ આપ્યું, અભયદાનના દાતા સત્પુરુષોમાં મુખ્ય છે.
ફરતા. રાજાના મહેલ અત્યંત ઊંચા હતા એટલે તેમાં પ્રવેશ કરી શકતા નહિ. એમને ઘણા
દિવસ થયા એટલે વિભીષણે પોતે આવી મહેલમાં ગીતનો અવાજ સાંભળી મહેલમાં
પ્રવેશ કર્યો. રાજા દશરથને અંતઃપુરમાં સૂતેલા જોયા. વિભીષણ પોતે દૂર ઊભા રહ્યા અને
એક વિદ્યુવિલસિત નામના વિદ્યાધરને મોકલ્યો કે આનું મસ્તક લઈ આવ. તેણે આવીને
મસ્તક કાપીને વિભીષણને બતાવ્યું અને આખો રાજપરિવાર રોવા લાગ્યો. વિભીષણ
એનું અને જનકનું શિર સમુદ્રમાં નાખીને પોતે રાવણ પાસે આવ્યો. રાવણને આનંદિત
કર્યો. આ બન્ને રાજાઓની રાણીઓ વિલાપ કરતી હતી, પણ પાછળથી તેમને ખબર પડી
કે એ કૃત્રિમ પૂતળું હતું ત્યારે એ સંતોષ પામી. વિભીષણ લંકા જઈને અશુભ કર્મની
શાંતિ અર્થે દાન, પૂજાદિ શુભ ક્રિયા કરવા લાગ્યો. પછી વિભીષણના મનમાં એવો
પશ્ચાત્તાપ થવા લાગ્યો કે મારા એવા કયા કર્મનો ઉદય આવ્યો કે ભાઈ પ્રત્યેના મોહથી મેં
નકામા બિચારા રાંક-ભયભીત એવા ભૂમિગોચરીઓને મરાવ્યા. શું આશીવિષ જાતિના
(એવા સર્પ, જેને જોતાં જ ઝેર ચડે) સર્પ હોય તો પણ તે ગરુડ ઉપર પ્રહાર કરી શકે?
ક્યાં એ અલ્પ ઐશ્વર્યના સ્વામી ભૂમિગોચરી અને ક્યાં ઇન્દ્ર સમાન શૂરવીર રાવણ! કયાં
ઉંદર અને કયાં કેશરી સિંહ, જેના અવલોકનમાત્રથી ગજરાજાનો મદ ઉતરી જાય છે! કેવો
છે કેશરી સિંહ? પવન સમાન વેગવાળો. અથવા જે પ્રાણીને જે સ્થાનમાં, જે કારણે જેટલું
દુઃખ કે સુખ થવાનું