છે તે તેને, તેના વડે, તે સ્થાનમાં કર્મના વશે અવશ્ય થાય છે અને જો આ નિમિત્તજ્ઞાની
યથાર્થ જાણતા હોય તો પોતાનું કલ્યાણ જ કેમ ન કરે કે જેથી મોક્ષનું અવિનાશી સુખ
મળે. નિમિત્તજ્ઞાની બીજાના મૃત્યુ વિષે યથાર્થ જાણતા હોય તો પોતાના મૃત્યુ વિષે
જાણીને મૃત્યુ આવ્યા પહેલાં આત્મકલ્યાણ કેમ ન કરે? નિમિત્તજ્ઞાનીના કહેવાથી હું મૂર્ખ
બન્યો, ખોટા માણસોની શિખામણથી જે મંદબુદ્ધિ હોય તે જ અકાર્યમાં પ્રવર્તે છે. આ
લંકાપુરી, પાતાળ જેનું તળિયું છે એવા સમુદ્રની મધ્યમાં આવેલી છે અને જે દેવોને પણ
અગમ્ય છે તે સ્થાનમાં બિચારા ભૂમિગોચરીઓ ક્યાંથી પહોંચી શકે? મેં આ ઘણું જ
અયોગ્ય કાર્ય કર્યું. હવે આવું કામ કદી નહિ કરું. આવી ધારણા કરીને ઉત્તમ દીપ્તિયુક્ત
જેમ સૂર્ય પ્રકાશરૂપે વિચરે તેમ મનુષ્યલોકમાં રમવા લાગ્યા.
વિભીષણકૃત મરણભયનું વર્ણન કરનાર તેવીસમું પર્વ પૂર્ણ થયું.
નામનું નગર છે. તેના કોટ ઊંચા પર્વત જેવા છે. ત્યાં શુભમતિ નામનો રાજા રાજ્ય
કરતો. તે રાજાનું નામ જ માત્ર શુભમતિ નહોતું, તે સાચા અર્થમાં શુભમતિ હતો. તેની
રાણી પૃથુશ્રી રૂપ, ગુણ અને આભૂષણોથી મંડિત હતી. તેને કૈકેયી નામની પુત્રી અને
દ્રોણમેઘ નામનો પુત્ર હતો તેમના ગુણ દશે દિશામાં ફેલાઈ ગયા હતા. કૈકેયી અતિસુંદર
હતી, તેનાં સર્વ અંગ મનોહર હતાં, તે અદ્ભુત લક્ષણોવાળી, કળાઓની પારગામી હતી.
તે સમ્યગ્દર્શનયુક્ત શ્રાવિકાનાં વ્રત પાળનારી, જિનશાસનની જાણકાર, મહાશ્રદ્ધાવાન હતી.
ઉપરાંત તે સાંખ્ય, પાતંજલ, વૈશેષિક, વેદાંત, ન્યાય, મીમાંસા, ચાર્વાકાદિ અન્યમતીનાં
શાસ્ત્રોનું રહસ્ય જાણતી. નૃત્યકળામાં અતિ નિપુણ હતી, સર્વ ભેદોથી મંડિત, સંગીત સારી
રીતે જાણતી. ઉર, કંઠ અને મસ્તક આ ત્રણ સ્થાનોમાંથી સ્વર નીકળે છે અને સ્વરોના
સાત ભેદ છે-ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ. તે બધું કૈકેયીને ગમ્ય
હતું. ત્રણ પ્રકારના લય છે-શીઘ્ર, મધ્ય અને વિલંબિત. ચાર પ્રકારના તાલ છે-સ્થાયી,
સંચારી, આરોહક અને અવરોહક. ત્રણ પ્રકારની ભાષા-સંસ્કૃત, પ્રાકૃત અને શૌરસેની.
સ્થાયી ચાલનાં ભૂષણ ચાર છે-પ્રસન્નાદિ, પ્રસન્નાત, મધ્યપ્રસાદ અને પ્રસન્નાંદ્યવસાન.
સંચારીનાં છ ભૂષણ છે-નિવૃત્ત, પ્રસ્થિલ, બિંદુ, પ્રખોલિત, તમોમંદ અને પ્રસન્ન.
આરોહણનું એક પ્રસન્નાદિ ભૂષણ અને અવરોહણનાં બે ભૂષણ પ્રસન્નાત તથા કુહર