જીતવાની બડાઈ? આમાં રામનું શું પરાક્રમ આવ્યું કે તમે મ્લેચ્છોને જીતવા વડે તેની
આટલી પ્રશંસા કરી? રામની જે આટલી પ્રશંસા કરી તે તો ઊલટી આમાં નિંદારૂપ છે.
અહો! તમારી વાત સાંભળીને હસવું આવે છે. જેમ બાળકને વિષફળ જ અમૃત ભાસે છે
અને દરિદ્રીને બોર ઉત્તમ ફળ લાગે છે, કાગડો સુકાઈ ગયેલા વૃક્ષમાં પ્રીતિ કરે છે, એ
સ્વભાવ જ દુર્નિવાર છે. હવે તમે ભૂમિગોચરીઓનો ખોટો સંબંધ છોડીને આ વિદ્યાધરોના
રાજા ચંદ્રગતિ સાથે સંબંધ બાંધો. ક્યાં દેવ સમાન સંપતિના ધારક વિદ્યાધરો અને ક્યાં તે
રંક, સર્વથા અત્યંત દુઃખી એવા ભૂમિગોચરી? ત્યારે જનકે કહ્યું કે ક્ષીરસાગર અત્યંત
વિશાળ છે, પરંતુ તે તરસ છિપાવતો નથી અને વાવ થોડા જ મીઠા જળથી ભરેલી છે તે
જીવોની તરસ મટાડે છે. અંધકાર અત્યંત વિસ્તીર્ણ છે, પણ તેનાથી શું? અને દીપક
નાનો છે તો પણ પૃથ્વી પર પ્રકાશ ફેલાવે છે, પદાર્થોને પ્રગટ કરે છે. અનેક મદમસ્ત
હાથી જે પરાક્રમ કરી શકતા નથી તે એકલા કેસરી સિંહનું બચ્ચું કરી શકે છે. રાજા જનકે
જ્યારે આમ કહ્યું ત્યારે તે સર્વ વિદ્યાધરો ગુસ્સે થઈને અતિકઠોર શબ્દોથી
ભૂમિગોચરીઓની નિંદા કરવા લાગ્યા. હે જનક! તે ભૂમિગોચરી વિદ્યાના પ્રભાવ વિનાના,
સદા ખેદખિન્ન, શૂરવીરતા રહિત, આપદાવાન, તમે તેમનાં શું વખાણ કરો છો?
પશુઓમાં અને તેમનામાં તફાવત ક્યાં છે? તમારામાં વિવેક નથી તેથી તેમનો યશ ગાવ
છો. ત્યારે જનકે કહ્યું કે અરેરે! અત્યંત ખેદની વાત છે કે મેં પાપના ઉદયથી મહાન
પુરુષોની નિંદા સાંભળી. ત્રણ ભવનમાં વિખ્યાત ભગવાન ઋષભદેવ, ઇન્દ્રાદિક દેવોમાં
પણ પૂજ્ય તેમના પવિત્ર ઈક્ષ્વાકુવંશ વિષે શું તમે સાંભળ્યું નથી? ત્રણ લોકના પૂજ્ય શ્રી
તીર્થંકરદેવ, ચક્રવર્તી, બળભદ્ર, નારાયણ તે બધા ભૂમિગોચરીઓમાં ઉત્પન્ન થાય છે તેમની
તમે કઈ રીતે નિંદા કરો છો? હે વિદ્યાધરો! પંચકલ્યાણકની પ્રાપ્તિ ભૂમિગોચરીઓને જ
થાય છે, વિદ્યાધરોમાં કદી પણ કોઈને તમે જોઈ છે? ઈક્ષ્વાકુવંશમાં મોટા મોટા રાજાઓ
જે છ ખંડ પૃથ્વીના વિજેતા હતા, તેના ચક્રાદિ મહારત્ન અને મોટી ઋદ્ધિના સ્વામી,
ઇન્દ્રાદિકોએ પણ જેમની ઉદાર કીર્તિનાં ગુણગાન કર્યાં છે એવાં ગુણોના સાગર, કૃતકૃત્ય
પુરુષ ઋષભદેવના વંશના મોટામોટા પૃથ્વીપતિ આ ભૂમિમાં અનેક થઈ ગયા છે. તે જ
વંશમાં રાજા અનરણ્ય મહાન રાજા થયા હતા. તેમની રાણી સુમંગલાને દશરથ નામનો
પુત્ર થયો, જે ક્ષત્રિય ધર્મમાં તત્પર, લોકોની રક્ષા નિમિત્તે પોતાના પ્રાણ ત્યાગતાં ન ડરે,
જેમની આજ્ઞા સમસ્ત લોક મસ્તકે ચડાવે, જેમની ચાર પટરાણી જાણે કે ચાર દિશા જ
છે, તે ઉપરાંત ગુણોથી ઉજ્જવળ એવી બીજી પાંચસો રાણી, જેમનાં મુખ ચંદ્રને પણ જીતે
છે, જે જાતજાતના શુભ ચરિત્રથી પતિનું મન હરે છે, એ દશરથના મોટા પુત્ર રામ,
જેમને પદ્મ પણ કહે છે, જેનું શરીર લક્ષ્મીથી મંડિત છે, જેણે દીપ્તિથી સૂર્યને અને કીર્તિથી
ચંદ્રને જીતી લીધા છે, દ્રઢતાથી સુમેરુ પર્વતને, શોભાથી ઇન્દ્રને અને શૂરવીરતાથી સર્વ
સુભટોને જીતી લીધા છે, જેનું ચરિત્ર સુંદર છે, જેના નાના ભાઈ લક્ષ્મણના શરીરમાં
લક્ષ્મીનો નિવાસ છે, જેનું ધનુષ્ય જોતાં શત્રુઓ ભયથી ભાગી જાય છે અને તમે
વિદ્યાધરોને એમનાથી ચડિયાતા