છે, આવા શરીરે કેટલાક દિવસ જીવું એ મોટું આશ્ચર્ય છે. જરાથી અત્યંત જર્જર મારું
શરીર સાંજ સવાર ગમે ત્યારે વિણસી જશે. મને મારી કાયાની શુદ્ધિ નથી તો બીજી શુદ્ધિ
ક્યાંથી હોય? પહેલાં મારી નેત્રાદિક ઈન્દ્રિયો વિચિક્ષણ હતી, હવે તે નામમાત્ર રહી ગઈ
છે. પગ એક તરફ રાખવા જાઉં છું અને પડે છે બીજી તરફ. આખી પૃથ્વી દ્રષ્ટિમાં શ્યામ
દેખાય છે. એવી અવસ્થા થઈ ગઈ છે તો પણ ઘણા વખતથી રાજદ્વારની સેવા કરી છે
એટલે તે છોડી શકતો નથી. પાકા ફળ સમાન મારું શરીર થોડા જ સમયમાં કાળનું ભક્ષ્ય
બની જશે. મને મૃત્યુનો એટલો ભય નથી જેટલો ચાકરી ગુમાવવાનો ભય છે. મારે તો
આપની આજ્ઞાનું જ અવલંબન છે, બીજું અવલંબન નથી. શરીરની અશક્તિથી વિલંબ
થાય તેનું હું શું કરું? હે નાથ! મારું શરીર જરાને આધીન છે એમ જાણીને કોપ ન કરો,
કૃપા જ કરો. કંચૂકીના આવાં વચન સાંભળીને રાજા દશરથ ડાબો હાથ કપાળે મૂકીને
ચિંતા ઉપજી હોય તેમ વિચારવા લાગ્યા કે અહો! આ પાણીના પરપોટા જેવું અસાર
શરીર ક્ષણભંગુર છે અને આ યૌવન અનેક વિભ્રમ ઉત્પન્ન કરતું સંધ્યાના પ્રકાશ સમાન
અનિત્ય છે, અજ્ઞાનનું કારણ છે. વીજળીના ચમકારા જેવું શરીર, અને આ સંપદાને માટે
અત્યંત દુઃખના સાધનરૂપ કર્મ આ પ્રાણી બાંધે છે. ઉન્મત્ત સ્ત્રીના કટાક્ષ સમાન ચંચળ,
સર્પની ફેણ સમાન વિષભરેલા, અત્યંત સંતાપના કારણ એવા આ ભોગ જ જીવને ઠગે
છે તેથી મહાઠગ છે. આ વિષય વિનાશી છે, એનાથી પ્રાપ્ત થયેલું દુઃખ મૂઢ જીવોને
સુખરૂપ ભાસે છે. આ મૂઢ જીવ વિષયોની અભિલાષા કરે છે, એને મનવાંછિત વિષય
દુષ્પ્રાપ્ય છે, વિષયોનાં સુખ જોવામાત્ર મનોજ્ઞ છે અને એનાં ફળ અત્યંત કડવાં છે. આ
વિષયો ઇન્દ્રાયણનાં ફળ સમાન છે, સંસારી જીવ એમને ચાહે છે તે મોટું આશ્ચર્ય છે. જે
ઉત્તમજન વિષયોને વિષતુલ્ય જાણીને ત્યજે છે અને તપ કરે છે તેને ધન્ય છે, અનેક
વિવેકી જીવ, પુણ્યના અધિકારી, ઉત્સાહના ધારક જિનશાસનના પ્રસાદથી બોધ પામ્યા છે.
હું ક્યારે આ વિષયોનો ત્યાગ કરી, રાગરૂપ કીચડમાંથી નીકળી નિવૃત્તિના કારણરૂપ
જિનેન્દ્રનું તપ આચરીશ? મેં પૃથ્વીનું સુખપૂર્વક પાલન કર્યું, ભોગ પણ મનવાંછિત
ભોગવ્યા અને મારા પુત્ર પણ મહાપરાક્રમી થયા. હજી પણ જો હું વિલંબ કરીશ તો એ
ઘણું વિપરીત થશે. અમારા વંશની એ જ રીત છે કે પુત્રને રાજ્યલક્ષ્મી આપીને, વૈરાગ્ય
ધારણ કરી, તપ કરવા માટે વનપ્રવેશ કરવો. આમ ચિંતવન કરતા રાજા ભોગોથી
ઉદાસીન ચિત્ત કરીને એક દિવસ ઘરમાં રહ્યા. હે શ્રેણિક! જે વસ્તુ જે સમયે, જે ક્ષેત્રમાં,
જેને જેટલી મળવાની હોય તેને, તે સમયે, તે ક્ષેત્રમાં તેની પાસેથી તેટલી જ નિશ્ચયથી
મળે જ મળે.
ધારક પૃથ્વી પર વિહાર કરતા કરતા સંઘ સહિત સરયૂ નદીને કિનારે આવ્યા. મુનિ પિતા
સમાન છ કાયના જીવના પાલક છે, જેમનાં મન, વચન, કાયાની બધી ક્રિયા દયામાં જોડી
છે. આચાર્યની આજ્ઞા પામીને