Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 343 of 660
PDF/HTML Page 364 of 681

 

background image
પદ્મપુરાણ ચાળીસમું પર્વ ૩૪૩
તાંબૂલ, મેવા, મિષ્ટાન્ન, શ્રેષ્ઠ વસ્ત્ર, અદ્ભુત આભુષણ જાતજાતનાં ભોજનો, દહીં- દૂધમાં
રાંધેલાં જાતજાતનાં અન્ન ઇત્યાદિ અનુપમ વસ્તુઓ લાવે છે. આ પ્રમાણે બધી જગ્યાએ
બધા માણસો શ્રીરામને પૂજે છે. વંશગિરિ પર શ્રીરામ, લક્ષ્મણ, સીતાને રહેવા માટે મંડપ
બનાવ્યા છે. તેમાં કોઈ સ્થળે ગીત, ક્યાંક નૃત્ય, ક્યાંક વાજિંત્ર વાગે છે. ક્યાંક સુકૃતની
કથા થાય છે, નૃત્યકારિણી એવું નૃત્ય કરે છે કે જાણે દેવાંગના જ છે. ક્યાંક દાન અપાય
છે. એવાં મંદિર બનાવ્યાં છે, જેનું વર્ણન કોણ કરી શકે? ત્યાં સર્વ સામગ્રી પૂર્ણ છે,
યાચક ત્યાંથી પાછો જતો નથી. બન્ને ભાઈ બધાં આભૂષણોથી યુક્ત, સુંદર વસ્ત્રો પહેરે
છે, દાન આપે છે, યશ ફેલાય છે, પરમ સૌભાગ્યવાન સીતા પાપના પ્રસંગથી રહિત,
શાસ્ત્રોક્ત રીતથી રહે છે, તેનો મહિમા ક્યાં સુધી કહીએ? વંશગિરિ ઉપર શ્રી રામચંદ્રે
જિનેશ્વરદેવનાં હજારો અદ્ભુત ચૈત્યાલયો બનાવરાવ્યાં. તેના સ્તંભ અત્યંત મજબૂત હતા,
લંબાઈ, પહોળાઈ ઊંચાઈ પ્રમાણસર હતી. તેમાં સુંદર ઝરૂખા શોભતા હતા, દ્વાર પણ
તોરણ હતાં, કોટ અને ખાઈથી વીંટળાયેલા હતા, તેના ઉપર સુંદર ધજાઓ ફરકતી હતી,
વંદના કરવા આવનાર ભવ્ય જીવોના મનોહર શબ્દ સાથે મૃદંગ, વીણા, બંસરી, ઝાલર,
મંજીરાં, શંખ, નગારાના અવાજથી ગુંજતા હતા. મહાન ઉત્સવ ત્યાં થતા હતા એવા
રામનાં રચેલાં રમણીક જિનમંદિરોની પંક્તિ શોભતી હતી. તેમાં સર્વ લક્ષણોયુક્ત, સર્વલોક
વડે પૂજ્ય, પંચવર્ણના જિનબિંબ બિરાજતાં હતાં. એક દિવસે કમળલોચન શ્રીરામે
લક્ષ્મણને કહ્યું, હે ભાઈ! અહીં આપણા ઘણા દિવસો વીત્યા. આ ગિરિ પર સુખપૂર્વક
રહ્યા, શ્રી જિનેશ્વરનાં ચૈત્યાલયો બનાવવાથી પૃથ્વી પર નિર્મળ કીર્તિ ફેલાઈ. આ
વંશસ્થળપુરના રાજાએ આપણી ઘણી સેવા કરી, આપણાં મન ઘણાં પ્રસન્ન કર્યાં. હવે
અહીં જ રહીએ તો કાર્યની સિદ્ધિ નહિ થાય અને આ ભોગોથી મારું મન પ્રસન્ન નથી.
આ ભોગ રોગ સમાન છે એમ જ હું જાણું છું તો પણ આ ભોગોને હું ક્ષણમાત્ર છોડતો
નથી. જ્યાં સુધી સંયમનો ઉદય નથી ત્યાં સુધી એ વિના પ્રયત્ને આવી મળે છે. આ
ભવમાં આ પ્રાણી જે કર્મ કરે છે તેવું ફળ પરભવમાં ભોગવે છે અને પૂર્વે ઉપાર્જેલા કર્મનું
ફળ વર્તમાનકાળમાં ભોગવે છે. આ સ્થળમાં નિવાસ કરવામાં આપણને સુખસંપત્તિ તો
રહે જ છે, પણ જે દિવસો જાય છે તે ફરીને આવતા નથી નદીનો વેગ, આયુષ્યના
દિવસો અને યૌવન ગયા પછી પાછાં આવતાં નથી. આ કર્ણરવા નામની નદીની સમીપે
દંડકવન હોવાનું સંભળાય છે. ત્યાં ભૂમિગોચરીઓ જઈ શકતા નથી. ત્યાં ભરતની
આજ્ઞાનો પણ પ્રવેશ નથી, ત્યાં સમુદ્રના તટ પર એક સ્થાન બનાવીને નિવાસ કરીશું.
રામની આજ્ઞા સાંભળીને લક્ષ્મણે વિનતિ કરી કે હે નાથ! આપ જેમ આજ્ઞા કરશો તેમ
જ થશે. આમ વિચારીને મહાધીર બન્ને વીર ઇન્દ્રસરખા ભોગ ભોગવીને વંશગિરિ પરથી
સીતારહિત ચાલી નીકળ્‌યાં. વંશસ્થલપુરનો સ્વામી રાજા સુરપ્રભ સાથે દૂર સુધી આવ્યો.
રામે તેને વિદાય કર્યો ત્યારે મુશ્કેલીથી પાછો વળ્‌યો. અત્યંત શોક કરતો પોતાના નગરમાં
આવ્યો. શ્રીરામનો વિરહ કોને કોને શોક ન ઉપજાવે? ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે
છે કે હે રાજન્! જે અનેક