છે તેથી શોક કરવો નકામો છે. આપ જિનાગમના જાણનાર અત્યંત શાંતચિત્ત અને
વિચક્ષણ છો, આપ ચિત્તનું સમાધાન કરો. આપ બીજાઓને ઉપદેશ દેવાયોગ્ય છો, આપને
હું શું કહું? જે પ્રાણી જન્મે છે તે અવશ્ય મરણ પામે છે. યૌવન પુષ્પની સુગંધ સમાન
ક્ષણમાત્રમાં અન્યરૂપ થઈ જાય છે, લક્ષ્મી પલ્લવોની શોભા સમાન શીઘ્ર બીજું રૂપ લઈ
લે છે, વીજળીના ચમકારા જેવું આ જીવન છે, પાણીના પરપોટા જેવો બાંધવોનો સમાગમ
છે, આ ભોગ સાંજનાં વાદળાંના રંગ સમાન છે, જગતની ક્રિયા સ્વપ્નની ક્રિયા જેવી છે.
જો આ જીવ પર્યાયાર્થિક નયથી મૃત્યુ ન પામે તો હું અન્ય ભવમાંથી તમારા વંશમાં કેવી
રીતે આવત? હે તાત! પોતાનું જ શરીર વિનાશી છે તો આપણા હિતચિંતકજનોનો
અત્યંત શોક શો કરવો? શોક કરવો એ મૂઢતા છે. સત્પુરુષોએ શોક દૂર કરવા માટે
સંસારનું સ્વરૂપ વિચારવું યોગ્ય છે. જોયેલા, સાંભળેલા, અનુભવેલા પદાર્થો ઉત્તમ પુરુષોને
વિશેષ શોક ઉપજાવે નહિ. કદાચ ક્ષણમાત્ર થયો તો થયો, શોકથી બંધુઓનું મિલન થતું
નથી, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેથી શોક ન કરવો. આમ વિચારવું કે આ અસાર સંસારમાં
ક્યા ક્યા સંબંધો થયા, આ જીવના ક્યા ક્યા બાંધવ થયા, આમ જાણી શોક ત્યજવો,
પોતાની શક્તિ પ્રમાણે જિનધર્મનું સેવન કરવું. આ વીતરાગનો માર્ગ સંસારસાગરને પાર
ઉતારે છે. તેથી જિનશાસનમાં ચિત્ત રાખી આત્મકલ્યાણ કરવું. ઈત્યાદિ મધુર વચનોથી
વિભીષણે પોતાના વડીલોનાં મનનું સમાધાન કર્યું.
આવી સીતા સહિત રામને લક્ષ્મણને નમસ્કાર કર્યા અને કહ્યું કે હે દેવ! મારા પતિનું ઘર
આપનાં ચરણારવિંદના પ્રસંગથી પવિત્ર કરો, આપ અનુગ્રહ કરવાને યોગ્ય છો, પછી તરત
જ વિભીષણ આવ્યો અને અતિઆદરથી વિનંતિ કરી કે હે દેવ! ઊઠો, મારું ઘર પવિત્ર
કરો. તેથી રામ તેની સાથે જ તેના ઘરે જવા તૈયાર થયા. નાના પ્રકારનાં વાહનો, કાળી,
ઘટા સમાન અતિઉતુંગ ગજ, પવન સમાન ચંચળ તુરંગ, મંદિર સમાન રથ ઇત્યાદિ વાહનો
પર આરૂઢ થઈ અનેક રાજા સહિત વિભીષણના ઘેર પધાર્યા. આખો ય રાજમાર્ગ સામંતોથી
ઢંકાઈ ગયો. વિભીષણે નગરને ઉછાળ્યું. મેઘધ્વનિ સમાન વાંજિત્રો વાગવા લાગ્યાં. શંખોના
શબ્દથી ગિરિની ગુફા નાદ કરવા લાગી. ઝાંઝ, નગારાં, મૃદંગ, ઢોલ વાગવા લાગ્યાં. દશે
દિશાઓ વાંજિત્રોના નાદથી ભરાઈ ગઈ. વાજિંત્રોના અવાજ, સામંતોના અટ્ટહાસ્ય બધી
દિશામાં ફેલાઈ ગયા. કોઈ સિંહ પર, કોઈ હાથી પર, કોઈ અશ્વ પર એમ વિદ્યામયી અને
સામાન્ય જાતજાતનાં વાહનો પર બેસીને સૌ ચાલ્યા જાય છે, નૃત્યકારિણી નૃત્ય કરે છે-
નટ, ભાટ અનેક કળા, ચેષ્ટા કરે છે. શરદની પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉજ્જવળ છત્રોના
સમૂહથી આકાશ છવાઈ ગયું છે. નાના પ્રકારનાં આયુધોની કાંતિથી સૂર્યનું તેજ દબાઈ ગયું
છે, નગરનાં સૌ નરનારીઓને આનંદ ઉપજાવતા ભાનુ સમાન શ્રીરામ