Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 495 of 660
PDF/HTML Page 516 of 681

 

background image
પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯પ
(ઇન્દ્રજિત આદિનું નિર્વાણ–ગમન)
ઇન્દ્રજિત મુનિ સર્વ પાપના હરનાર, અને ઋદ્ધિસહિત પૃથ્વી પર વિહાર કરતા
હતા. વૈરાગ્યરૂપ પવનથી પ્રેરાયેલા ધ્યાનરૂપ અગ્નિથી તેમણે કર્મવનને બાળ નાખ્યું. એ
ધ્યાનરૂપ અગ્નિ ક્ષાયિક સમ્યક્ત્વરૂપ અરણ્યના લાકડાથી થયો. મેઘવાહન મુનિ પણ
વિષયરૂપ ઈંધનને અગ્નિ સમાન આત્મધ્યાનથી બાળવા લાગ્યા અને જીવના નિજસ્વભાવ
કેવળજ્ઞાનને પામ્યા. કુંભકર્ણ મુનિ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રના ધારક શુક્લધ્યાનના
પ્રભાવથી કેવળજ્ઞાન પામ્યા. લોકાલોકને અવલોકતા મોહરજથી રહિત ઇન્દ્રજિત અને
કુંભકર્ણ કેવળી આયુષ્ય પૂર્ણ કરી અનેક મુનિઓ સાથે નર્મદાના તીરે સિદ્ધપદ પામ્યા.
સુરઅસુરમનુષ્યોના અધિપતિઓ જેમનાં યશગાન કરે છે, તે શુદ્ધ શીલના ધરનાર,
જગત્બંધુ, સમસ્ત જ્ઞેયના જ્ઞાતા, જેના જ્ઞાનસમુદ્રમાં લોકાલોક ગાયની ખરી સમાન ભાસે
છે તે સંસારના વિષમ કલેશમય જળમાંથી નીકળીને તે સ્થાનને (સિદ્ધપદને) પામ્યા. હવે
જ્યાં કાંઈ યત્ન કરવાનો નથી, તે ઉપમારહિત નિર્વિઘ્ન અખંડ સુખ પામ્યા. જે કુંભકર્ણાદિ
અનેક સિદ્ધ થયા તે જિનશાસનના શ્રોતાઓને આરોગ્યપદ આપો. કર્મશત્રુનો નાશ
કરનાર તે જે સ્થળેથી સિદ્ધ થયા છે તે સ્થળો આજ પણ જોવામાં આવે છે, તે તીર્થ
ભવ્ય જીવોએ વંદવાયોગ્ય છે, વિંધ્યાચળની અટવીમાં ઇન્દ્રજિત-મેઘનાદ રહ્યા તે તીર્થ
મેઘરવ કહેવાય છે. મહાબળવાન જાંબુમાલી તૂણીમંત નાના પર્વત પરથી અહમિન્દ્રપદ
પામ્યા તે પર્વત નાના પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી મંડિત અનેક પક્ષીઓ અને
વનચરોથી ભરેલો છે. હે ભવ્ય જીવો! જીવદયા આદિ અનેક ગુણોથી પૂર્ણ એવો જિનધર્મ
સેવનારને કાંઈ દુર્લભ નથી; જૈનધર્મના પ્રસાદથી સિદ્ધપદ, અહમિન્દ્રપદ બધું જ સુલભ છે.
જંબુમાલીનો જીવ અહિમિન્દ્રપદથી ઐરાવતક્ષેત્રમાં મનુષ્ય થઈ, કેવળજ્ઞાન પામી સિદ્ધપદની
પ્રાપ્તિ કરશે. મંદોદરીના પિતા ચારણ મુનિ થઈ અઢીદ્વીપમાં કૈલાસાદિ નિર્વાણક્ષેત્રોની અને
ચૈત્યાલયોની વંદના કરતા પૃથ્વી પર વિહાર કરે છે. મારિચ મંત્રી સ્વર્ગમાં મોટી
ઋદ્ધિવાળા દેવ થયા. જેમનું જેવું તપ તેવું તે ફળ પામ્યા. સીતાને દ્રઢ વ્રતથી પતિનો
મેળાપ થયો. રાવણ તેને ડગાવી શક્યો નહિ. સીતાના અતુલ ધૈર્ય, અદ્ભુત રૂપ, નિર્મળ
બુદ્ધિ અને પતિ પ્રત્યેના અધિક સ્નેહનું કથન થઈ શકે નહિ. સીતા મહાન ગુણોથી,
પૂર્ણશીલના પ્રસાદથી જગતમાં પ્રશંસાયોગ્ય થઈ. સીતાને પોતાના પતિમાં સંતોષ છે, સાધુ
જેની પ્રશંસા કરે છે, તે પરંપરાએ મોક્ષની પાત્ર છે. ગૌતમ સ્વામી કહે છે, હે શ્રેણિક! જે
સ્ત્રી વિવાહ જ ન કરે, બાળબ્રહ્મચર્ય પાળે તે તો મહાભાગ્ય જ છે અને પતિવ્રતાનું વ્રત
આદરે, મનવચનકાયથી પરપુરુષનો ત્યાગ કરે તો એ વ્રત પણ પરમરત્ન છે, સ્ત્રીને સ્વર્ગ
અને પરંપરાએ મોક્ષ દેવાને સમર્થ છે. શીલવ્રત સમાન બીજું વ્રત નથી, શીલ
ભવસાગરની નાવ છે. રાજા મય મંદોદરીના પિતા રાજ્ય અવસ્થામાં માયાચારી હતા અને
કઠોર પરિણામી હતા તો પણ જિનધર્મના પ્રસાદથી રાગદ્વેષરહિત થઈ અનેક ઋદ્ધિના
ધારક મુનિ થયા.