Padmapuran (Gujarati). Parva 85 - Deshbushan kevali dvara Bharat aney Trilokmandan hathina purvabhavnu varnan.

< Previous Page   Next Page >


Page 511 of 660
PDF/HTML Page 532 of 681

 

background image
પદ્મપુરાણ પંચાસીમું પર્વ પ૧૧
બોલાવીને આહાર આપવા પ્રયત્ન કરીએ છીએ તે લેતો નથી, જાતજાતના ગજને પ્રિય
સુંદર આહાર રુચતા નથી, ચિંતન કરતો હોય તેમ ઊભો છે, નિસાસા મૂકે છે. બધાં
શાસ્ત્રોના જાણકાર, મહાપંડિત પ્રસિદ્ધ ગજવૈદ્યોને પણ હાથીનો રોગ જાણવામાં આવતો
નથી. ગંધર્વો જુદીજુદી જાતનાં ગીત ગાય છે તે સાંભળતો નથી, નૃત્યકારિણીઓ નૃત્ય કરે
છે તે જોતો, નથી. પહેલાં તે નૃત્ય જોતો, ગીત સાંભળતો, અનેક ચેષ્ટા કરતો હતો તે બધું
તેણે છોડી દીધું છે. જાતજાતનાં કુતૂહલ થાય છે પણ તે નજર કરતો નથી. મંત્રવિદ્યા,
ઔષધાદિક અનેક ઉપાય કર્યા તે ઉપયોગમાં આવ્યા નથી, આહાર, વિહાર, નિદ્રા,
જળપાનાદિ બધું છોડી દીધું છે. અમે ઘણી વિનંતી કરીએ છીએ તે માનતો નથી, જેમ
રિસાયેલા મિત્રને અનેક પ્રકારે મનાવીએ અને તે ન માને તેમ કરે છે. કોણ જાણે આ
હાથીના ચિત્તમાં શું છે? કોઈ વસ્તુથી કોઈ રીતે પ્રસન્ન થતો નથી, કોઈ વસ્તુ પ્રત્યે
લલચાતો નથી, ખિજાવવા છતાં ક્રોધ કરતો નથી, ચિત્ર જેવો ઊચો છે. આ ત્રૈલોક્યમંડન
હાથી આખી સેનાનો શણગાર છે. હવે આપને જે ઉપાય કરવા હોય તે કરો, અમે આપને
હાથીની બધી હકીકત જણાવી. આથી રામ-લક્ષ્મણ ગજરાજની ચેષ્ટા જાણીને ચિંતાતુર
થયા. તે મનમાં વિચારે છે કે આ હાથી બંધન તોડીને નીકળ્‌યો, પછી કયા કારણે ક્ષમા
ધારણ કરી અને આહારપાણી કેમ નથી લેતો? બન્ને ભાઈ હાથીનો શોક કરવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હાથીની નિશ્ચળ દશાનું વર્ણન
કરનાર ચોર્યાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
પંચાસીમું પર્વ
(દેશભૂષણ કેવળી દ્વારા ભરત અને ત્રૈલોક્યમંડન હાથીના પૂર્વભવનું વર્ણન)
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હે નરાધિપ! તે જ સમયે દેશભૂષણ
કુલભૂષણ કેવળી અનેક મુનિઓ સહિત લોકપ્રસિદ્ધ અયોધ્યાના નંદનવન સમાન
મહેન્દ્રોદય નામના વનમાં ચતુર્વિધ સંઘસહિત આવીને બિરાજ્યા. રામ-લક્ષ્મણે
વંશસ્થળગિરિ ઉપર આ બન્ને મુનિઓનો ઉપસર્ગ દૂર કર્યો હતો અને તેમની સેવા કરી
હતી તેથી ગરુડેન્દ્રે પ્રસન્ન થઈ તે બન્નેને અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં હતાં જેનાથી તેમને
યુદ્ધમાં વિજય મળ્‌યો હતો. પછી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તેમનાં દર્શન કરવા
સવારમાંજ હાથી પર બેસી આવવા તૈયાર થયા. જેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું છે તે
ત્રૈલોક્યમંડન હાથી આગળ આગળ ચાલ્યો જાય છે. જ્યાં તે બન્ને કેવળી બિરાજ્યા છે
ત્યાં દેવો સમાન નરોત્તમ આવ્યા અને કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સુપ્રભા એ ચારેય માતા
સાધુભક્તિમાં તત્પર, જિનશાસનની સેવક સ્વર્ગનિવાસી દેવીઓ સમાન સેંકડો રાણીઓ
સાથે ચાલી. સુગ્રીવાદિ સમસ્ત વિદ્યાધરો વૈભવ સાથે ચાલ્યા. કેવળીનું સ્થાન દૂરથી જ જોતાં