Padmapuran (Gujarati). Parva 102 - Lavan-Ankushnu Ram-Laxman sathey yudh.

< Previous Page   Next Page >


Page 565 of 660
PDF/HTML Page 586 of 681

 

background image
પદ્મપુરાણ એકસો બીજું પર્વ પ૬પ
સેનાની રજથી ધૂળના પટલ છવાયા રાખીને પૂછયું, આ દિશામાં કેટલી ધૂળ ઊડે છે?
તેણે કહ્યું કે દેવી! સેનાની રજ છે. જેમ જળમાં મગર આનંદ કરે તેમ સેનામાં અશ્વ
ઊછળતાં આવે છે. હે સ્વામિની! આ બન્ને કુમારો પૃથ્વીને વશ કરીને આવ્યા છે. ત્યાં
વધાઈ આપનારા આવ્યા. નગરને શણગારવામાં આવ્યું. લોકોને ખૂબ પ્રસન્નતા થઈ.
નિર્મળ ધજા ફરકાવવામાં આવી, નગરના રસ્તા પર સુગંધી જળ છંટાયું, નગરને ઠેકઠેકાણે
તોરણમાળા બાંધીને શોભાયમાન કર્યું. દરવાજા પર કળશ સ્થપાયા. રામ-લક્ષ્મણ
અયોધ્યામાં આવ્યા ત્યારે જેવી શોભા અયોધ્યાની થઈ હતી તેવી જ પુંડરિકપુરની શોભા
કુમારો આવતાં થઈ. જે દિવસે અત્યંત વૈભવથી નગરમાં પ્રવેશ કર્યો. તે દિવસે નગરનાં
લોકોને જે હર્ષ થયો તેનું કથન થઈ શકે નહિ. બન્ને કૃતકૃત્ય પુત્રોને જોઈ સીતા
આનંદસાગરમાં મગ્ન થઈ. બન્ને વીરોએ આવી માતાને નમસ્કાર કર્યા, રજથી મલિન
શરીરવાળા પુત્રોને સીતાએ હૃદય સાથે ચાંપીને માથે હાથ મૂક્યો. માતાને અત્યંત આનંદ
આપી બન્ને કુમારો ચંદ્ર-સૂર્યની જેમ લોકમાં પ્રકાશતા હતા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગં્રથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના દિગ્વિજયનું વર્ણન
કરનાર એકસો એકમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો બીજું પર્વ
(લવણાંકુશનું રામ–લક્ષ્મણ સાથે યુદ્ધ)
પછી આ ઉત્તમ માનવ પરમ ઐશ્વર્યધારક પ્રબળ રાજાઓ પર આજ્ઞા ચલાવતા
સુખપૂર્વક રહેતા હતા. એક દિવસ નારદે કૃતાંતવક્રને પૂછયું કે તું સીતાને ક્યાં મૂકી
આવ્યો હતો? કૃતાંતવક્રે કહ્યું કે સિંહનાદ અટવીમાં છોડી દીધી હતી. આ સાંભળીને તે
અતિ વ્યાકુળ બનીને તેને શોધતા ફરતા હતા. તેમણે બન્ને કુમારોને વનક્રીડા કરતા જોયા
તેથી નારદ તેમની પાસે આવ્યા કુમારોએ ઊભા થઈને સન્માન કર્યું. નારદે તેમને
વિનયવાન જોઈ આનંદ પામીને આશીર્વાદ આપ્યા. નરનાથ રામ-લક્ષ્મણને જેવી લક્ષ્મી છે
તેવી તમને મળો. કુમારોએ તેમને પૂછયું કે હે દેવ! રામ-લક્ષ્મણ કોણ છે અને કયા
કુળમાં જન્મ્યા છે, તેમનામાં કેવા ગુણો છે અને તેમનું આચરણ કેવું છે? નારદે એકાદ
ક્ષણ મૌન રહી કહ્યુંઃ હે બન્ને કુમારો! કોઈ મનુષ્ય ભુજા વડે પર્વતને ઉખાડે અથવા
સમુદ્રને તરે તો પણ રામ-લક્ષ્મણના ગુણ કહી શકે નહિ. અનેક મુખે દીર્ઘકાળ સુધી
તેમના ગુણોનું વર્ણન કરવામાં આવે તો પણ રામ-લક્ષ્મણનાં ગુણ વર્ણવી ન શકાય. તો
પણ હું તમારા પૂછવાથી કિંચિતમાત્ર
વર્ણન કરું છું, તેમનાં ગુણ પુણ્ય વધારે છે.
અયોધ્યાપુરીમાં રાજા દશરથ થયા હતા. તે દુરાચાર ઈંધનને ભસ્મ કરવા માટે અગ્નિ
સમાન અને ઈક્ષ્વાકુ વંશરૂપ આકાશમાં ચંદ્રમા, સકળ પૃથ્વી પર પ્રકાશ કરતા અયોધ્યામાં રહેતા