Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 566 of 660
PDF/HTML Page 587 of 681

 

background image
પ૬૬ એકસો બીજું પર્વ પદ્મપુરાણ
હતા. તે પુરુષરૂપ પર્વતમાંથી કીર્તિરૂપ નદી નીકળી તે આખા જગતને આનંદ ઉપજાવતી
સમુદ્રપર્યંત ફેલાણી. તે દશરથ રાજાના રાજ્યભારનું વહન કરનાર ચાર મહાગુણવાન પુત્રો
થયા. એક રામ, બીજા લક્ષ્મણ, ત્રીજા ભરત, ચોથા શત્રુધ્ન. તેમાં રામ અતિમનોહર
સર્વશાસ્ત્રના જ્ઞાતા હતા. તે નાના ભાઈ લક્ષ્મણ સાથે અને જનકની પુત્રી સીતા સાથે
પિતાની આજ્ઞાનું પાલન કરવા અયોધ્યા તજીને પૃથ્વી પર વિહાર કરતા દંડકવનમાં
આવ્યા. તે સ્થળ અતિવિષમ હતું, ત્યાં વિદ્યાધરો પણ જઈ શકતા નહીં. ત્યાં તેમને
ખરદૂષણ સાથે સંગ્રામ થયો. રાવણે સિંહનાદ કર્યો. તે સાંભળી લક્ષ્મણને મદદ કરવા રામ
ગયા, પાછળથી રાવણ સીતાને હરીને લઈ ગયો. પછી રામને સુગ્રીવ, હનુમાન, વિરાધિત
આદિ અનેક વિદ્યાધરો મળ્‌યા. રામના ગુણોના અનુરાગથી તેમનાં હૃદય વશ થયાં હતાં
તેથી તે વિદ્યાધરોને લઈ રામ લંકામાં ગયા. રાવણને જીતી સીતાને લઈ અયોધ્યા આવ્યા.
સ્વર્ગપુર સમાન અયોધ્યા વિદ્યાધરોએ બનાવી ત્યાં પુરુષોત્તમ રામ-લક્ષ્મણ સુખેથી રાજ્ય
કરતા હતા. રામને તમે હજી સુધી કેમ ન ઓળખ્યા? જેને લક્ષ્મણ જેવો ભાઈ, જેના
હાથમાં સુદર્શનચક્ર નામનું આયુધરત્ન છે, જેની એક હજાર દેવ સેવા કરે એવા સાત રત્ન
લક્ષ્મણ પાસે અને ચાર રત્ન રામ પાસે છે. રામે પ્રજાના હિત નિમિત્તે જાનકીનો ત્યાગ
કર્યો તે રામને બધા જ જાણે છે. પૃથ્વી પર એવો કોઈ નથી જે રામને જાણતો ન હોય.
આ પૃથ્વીની જ શી વાત છે? સ્વર્ગમાં દેવો પણ રામના ગુણોનું વર્ણન કરે છે.
ત્યારે અંકુશે પૂછયું, પ્રભો! રામે જાનકીનો ત્યાગ શા માટે કર્યો? ત્યારે સીતાના
ગુણોથી ધર્માનુરાગી ચિત્તવાળા નારદે આંસુ સારતાં કહ્યું, હે કુમારો! તે સીતા સતી ઊંચા
કુળમાં જન્મેલી છે. શીલવતી, ગુણવતી, પતિવ્રતા, શ્રાવકના આચારમાં પ્રવીણ, રામની
આઠ હજાર રાણીઓમાં શિરોમણિ, લક્ષ્મી, કીર્તિ, ધૃતિ, લજ્જાને પોતાની પવિત્રતાથી
જીતી સાક્ષાત્ જિનવાણી તુલ્ય છે. તે કોઈ પૂર્વોપાર્જિત પાપના પ્રભાવથી મૂઢ લોકો તેનો
અપવાદ કરવા લાગ્યા તેથી રામે દુઃખી થઈ નિર્જન વનમાં તેને તજી દીધી. જૂઠા લોકોની
વાણીરૂપ સૂર્યનાં કિરણોથી તપ્ત તે સતી કષ્ટ પામી. તે અતિસુકુમાર અલ્પ ખેદ પણ સહી
ન શકે, માલતીની માળા દીપકના આતાપથી કરમાય તે દાવાનળનો દાહ કેવી રીતે સહી
શકે? અતિભયંકર વનમાં અનેક દુષ્ટ જીવો વચ્ચે સીતા કેવી રીતે પ્રાણ ધારી શકે, દુષ્ટ
જીવોની જિહ્વા ભુજંગ સમાન નિરપરાધ પ્રાણીઓને કેમ ડસતી હશે? જીવોની નિંદા
કરતા દુષ્ટોની જીભના સો ટુકડા કેમ નહિ થતા હોય? તે પતિવ્રતામાં શિરોમણિ, પટુતા
આદિ અનેક ગુણોથી પ્રશંસવા યોગ્ય તેની જે નિંદા કરે છે તે આ ભવ અને પરભવમાં
દુઃખ પામે છે. એમ કહીને શોકના ભારથી મૌન ધારણ કરી લીધું, વિશેષ કાંઈ ન કહી
શક્યા. આ સાંભળી અંકુશે પૂછયું, હે સ્વામી! રામે સીતાને ભયંકર વનમાં તજી તે સારું
ન કર્યું. એ કુળવાનોની રીત નથી. લોકાપવાદ નિવારવાના બીજા અનેક ઉપાય છે, આવું
અવિવેકનું કાર્ય જ્ઞાની કેમ કરે? અંકુશે તો એટલું જ કહ્યું અને અનંગલવણે પૂછયું કે
અહીંથી અયોધ્યા કેટલું દૂર છે? ત્યારે નારદે ઉત્તર આપ્યો કે અયોધ્યા અહીંથી એકસો
સાઠ યોજન છે, જ્યાં