આપી અઠ્ઠાવીસ મૂળગુણ ધારણ કરી યોગીન્દ્ર થયા અને હનુમાનની રાણીઓ તેમ જ આ
રાજાઓની રાણીઓ પ્રથમ તો વિયોગરૂપ અગ્નિથી તપ્તાયમાન વિલાપ કરવા લાગી, પછી
વૈરાગ્ય પામી બંધુમતી નામની આર્યિકા પાસે જઈ ભક્તિથી નમસ્કાર કરી આર્યિકાનાં
વ્રત ધારણ કરવા લાગી. તે બુદ્ધિવંતી શીલવંતીઓએ ભવભ્રમણના ભયથી આભૂષણ
ત્યાગી એક સફેદ વસ્ત્ર રાખ્યું. શીલ જ જેમનાં આભરણ છે તેમને રાજ્યવિભૂતિ સડેલા
તણખલા જેવી લાગી. હનુમાન મહાબુદ્ધિમાન, મહાતપોધન સંસારથી અત્યંત વિરક્ત પાંચ
મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ધારણ કરી શૈલ એટલે પર્વતથી પણ અધિક, શ્રીશૈલ
એટલે હનુમાન-રાજા પવનના પુત્ર ચારિત્રમાં અચળ થયા. તેમનો નિર્મળ યશ ઇન્દ્રાદિદેવ
ગાય છે, વારંવાર વંદના કરે છે અને મોટા મોટા માણસો યશ ફેલાવે છે. જેમનું આચરણ
નિર્મળ છે એવા સર્વજ્ઞ વીતરાગદેવનો ભાખેલો નિર્મળ ધર્મ આચરીને તે ભવસાગર તરી
ગયા. તે મહામુનિ હનુમાન પુરુષોમાં સૂર્ય સમાન તેજસ્વી જિનેન્દ્રદેવનો ધર્મ આરાધી
ધ્યાનાગ્નિથી આઠ કર્મની સમસ્ત પ્રકૃતિરૂપ ઇંધનને ભસ્મ કરી તુંગીગિરિના શિખર ઉપરથી
સિદ્ધ થયા. કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ અનંતગુણમય સદા સિદ્ધલોકમાં રહેશે.
કરનાર એકસો તેરમું પર્વ પૂર્ણ થયું.
મનુષ્યભવનાં કયાં સુખ ભોગવ્યાં? એ નાની ઉંમરમાં આવા ભોગ તજી યોગ ધારણ કરે
છે તે મોટું આશ્ચર્ય છે, એ હઠરૂપી ગ્રાહથી ગ્રહાયા છે જુઓ, આવા મનોહર કામભોગ
તજી વિરક્ત થઈ બેઠા છે. જોકે શ્રી રામ સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની છે તો પણ ચારિત્રમોહને વશ
કેટલાક દિવસ લોકોની જેમ જગતમાં રહ્યા હતા. સંસારના અલ્પ સુખમાં રમતા રામ-
લક્ષ્મણ ન્યાયસહિત રાજ્ય કરતા હતા. એક દિવસ મહાન જ્યોતિના ધારક ઇન્દ્ર
પરમઋદ્ધિથી યુક્ત ધીર અને ગંભીર, નાના અલંકાર ધારણ કરેલા, સામાજિક જાતિના
દેવ જે ગુરુજનતુલ્ય છે, લોકપાલ જાતિના દેવ જે દેશપાલતુલ્ય છે, ત્રાયસ્ત્રિંશત્ જાતિના
દેવ મંત્રી સમાન છે તેમનાથી મંડિત અને અન્ય સકળ દેવસહિત બીજા પર્વતોની મધ્યમાં
સુમેરુ પર્વત શોભે તેવા ઇન્દ્રાસન પર બેઠેલા શોભતા હતા. તેજઃપુંજ અદ્ભુત રત્નોના
સિંહાસન પર સુખે બિરાજતા તે સુમેરુ પર જિનરાજ જેવા ભાસતા હતા. ચંદ્રમા અને