ઉત્તીર્ણ થયા પછીની સીતાનું વર્ણન તો અલૌકિક ચમત્કારપૂર્ણ છે. તેને વાંચતાં એકવાર આંખોમાંથી
આંસુઓની ધારા વહેવા લાગે છે અને જ્યારે આપણે લક્ષ્મણ દિવંગત થયા પછી રામની દશા જોઈએ
છીએ, તેમના અકૃત્રિમ અને લોકોત્તર ભાતૃપ્રેમ વિષે વાંચીએ છીએ તો તે સમયનું વર્ણન કરવું
આપણા માટે અસંભવ બની જાય છે. સંક્ષેપમાં કહેવામાં આવે તો આ પદ્મપુરાણમાં આપણને બધા
રસોનો સમાવેશ યથાસ્થાને થયેલો જણાશે પરંતુ તેમાં મુખ્યતા કરુણ અને શાન્ત રસની જ છે.
મૂળગ્રંથની સ્વાધ્યાય અવશ્ય કરે.
સીતાના પિતાને મદદ કરવાને લીધે જ રામ સૌ પ્રથમ સિંહપુત્ર અથવા વીરબાળરૂપે લોકો સમક્ષ
આવ્યા. સીતાના સ્વયંવર દ્વારા રામના પરાક્રમનો યશ બધે ફેલાયો, રાવણ પર વિજય મેળવવાને
લીધે તે જગતપ્રસિદ્ધ મહાપુરુષના રૂપે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી લોકનિંદાના કારણે સીતાનો
પરિત્યાગ કરવાથી તો તેઓ એટલા બધા પ્રકાશમાં આવ્યા કે આજ હજારો વર્ષો પછી પણ લોકો
રામરાજ્યને યાદ કરે છે. જ્યારે લોકાપવાદની ચર્ચા રામની સમક્ષ આવી ત્યારે તેઓ વિચારે છે કેઃ-
चक्षुर्मानसयोर्वासं कृत्या याडवस्थिता मम। गुणधानीमदोषां तां कथं मुंचामिजानकीम्।।
અવસ્થિત છે, ગુણોની રાજધાની છે. સર્વથા નિર્દોષ છે, તે પ્રાણપ્યારી જાનકીને હું કેવી રીતે
તજું? એક તરફ સામે લોકાપવાદ ઉભો છે અને બીજી તરફ નિર્દોષ પ્રાણપ્રિયાનો દુઃસહ વિયોગ.
કેટલી વિકટ સ્થિતિ છે? અત્યંત મૂંઝવણમાં પડેલા રામ થોડા સમય માટે કિંકર્તવ્યવિમૂઢ થઈ જાય
છે. તે સમયની માનસિક દશાનું ચિત્રણ કરતાં ગ્રંથકાર છેઃ -
છે, મારા પ્રાણ સાથે એકત્વ પામેલી છે, તે સીતાને હું કેવી રીતે તજું? વળી રામ વિચારે છે -