आत्मना जानाति — स्वपरप्रकाशकत्वेन चेतयते, आत्मना पश्यति — याथातथ्येनावलोकयते, स खल्वात्मैव चारित्रं ज्ञानं दर्शनमिति कर्तृकर्मकरणानामभेदान्निश्चितो भवति ।
અન્વયાર્થઃ — [ यः ] જે (આત્મા) [ अनन्यमयम् आत्मानम् ] અનન્યમય આત્માને [ आत्मना ] આત્માથી [ चरति ] આચરે છે, [ जानाति ] જાણે છે, [ पश्यति ] દેખે છે, [ सः ] તે (આત્મા જ) [ चारित्रं ] ચારિત્ર છે, [ ज्ञानं ] જ્ઞાન છે, [ दर्शनम् ] દર્શન છે — [ इति ] એમ [ निश्चितः भवति ] નિશ્ચિત છે.
ટીકાઃ — આ, આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શનપણાનું પ્રકાશન છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર, જ્ઞાન અને દર્શન છે એમ અહીં સમજાવ્યું છે).
જે (આત્મા) ખરેખર આત્માને — કે જે આત્મમય હોવાથી અનન્યમય છે તેને — આત્માથી આચરે છે અર્થાત્ ૧સ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે ( – સ્વભાવનિયત અસ્તિત્વરૂપે પરિણમીને અનુસરે છે), (અનન્યમય આત્માને જ) આત્માથી જાણે છે અર્થાત્ સ્વપરપ્રકાશકપણે ચેતે છે, (અનન્યમય આત્માને જ) આત્માથી દેખે છે અર્થાત્ યથાતથપણે અવલોકે છે, તે આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે — એમ ૨કર્તા-કર્મ-કરણના ૧. સ્વભાવનિયત = સ્વભાવમાં અવસ્થિત; (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવમાં દ્રઢપણે રહેલ. [‘સ્વભાવનિયત
અસ્તિત્વ’ની વિશેષ સ્પષ્ટતા માટે ૧૫૪મી ગાથાની ટીકા જુઓ.] ૨. જ્યારે આત્મા આત્માને આત્માથી આચરે-જાણે-દેખે છે, ત્યારે કર્તા પણ આત્મા, કર્મ પણ આત્મા