नितरामुपपन्नमिति ।।१६२।।
અભેદને લીધે નિશ્ચિત છે. આથી (એમ નક્કી થયું કે) ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપ હોવાને લીધે આત્માને જીવસ્વભાવનિયત ચારિત્ર જેનું લક્ષણ છે એવું નિશ્ચયમોક્ષમાર્ગપણું અત્યંત ઘટે છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર-જ્ઞાન-દર્શન હોવાને લીધે આત્મા જ જ્ઞાનદર્શનરૂપ જીવસ્વભાવમાં દ્રઢપણે રહેલું ચારિત્ર જેનું સ્વરૂપ છે એવો નિશ્ચયમોક્ષમાર્ગ છે). ૧૬૨.
— આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩.
અન્વયાર્થઃ — [ येन ] જેથી (આત્મા મુક્ત થતાં) [ सर्वं विजानाति ] સર્વને જાણે છે અને [ पश्यति ] દેખે છે, [ तेन ] તેથી [ सः ] તે [ सौख्यम् अनुभवति ] સૌખ્યને અનુભવે છે; — [ इति तद् ] આમ [ भव्यः जानाति ] ભવ્ય જીવ જાણે છે, [ अभव्यसत्त्वः न श्रद्धत्ते ] અભવ્ય જીવ શ્રદ્ધતો નથી.
ટીકાઃ — આ, સર્વ સંસારી આત્માઓ મોક્ષમાર્ગને યોગ્ય હોવાનું નિરાકરણ (નિષેધ) છે.
ખરેખર સૌખ્યનું કારણ સ્વભાવની ૧પ્રતિકૂળતાનો અભાવ છે. આત્માનો ‘સ્વભાવ’ ખરેખર દ્રશિ – જ્ઞપ્તિ (દર્શન અને જ્ઞાન) છે. તે બન્નેને ૨વિષયપ્રતિબંધ હોવો તે ‘પ્રતિકૂળતા’ ૧.પ્રતિકૂળતા = વિરુદ્ધતા; વિપરીતતા; ઊલટાપણું. ૨. વિષયપ્રતિબંધ = વિષયમાં રુકાવટ અર્થાત્ મર્યાદિતપણું. (દર્શન અને જ્ઞાનના વિષયમાં મર્યાદિતપણું