Panchastikay Sangrah (Gujarati). Gatha: 164.

< Previous Page   Next Page >


Page 229 of 256
PDF/HTML Page 269 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૨૯
स्वभावः तयोर्विषयप्रतिबन्धः प्रातिकूल्यम् मोक्षे खल्वात्मनः सर्वं विजानतः
पश्यतश्च तदभावः ततस्तद्धेतुकस्यानाकुलत्वलक्षणस्य परमार्थसुखस्य मोक्षेऽनुभूति-
रचलिताऽस्ति इत्येतद्भव्य एव भावतो विजानाति, ततः स एव मोक्षमार्गार्हः
नैतदभव्यः श्रद्धत्ते, ततः स मोक्षमार्गानर्ह एवेति अतः कतिपये एव संसारिणो
मोक्षमार्गार्हा, न सर्व एवेति ।।१६३।।
दंसणणाणचरित्ताणि मोक्खमग्गो त्ति सेविदव्वाणि
साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा ।।१६४।।
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति सेवितव्यानि
साधुभिरिदं भणितं तैस्तु बन्धो वा मोक्षो वा ।।१६४।।

છે. મોક્ષમાં ખરેખર આત્મા સર્વને જાણતો અને દેખતો હોવાથી તેનો અભાવ હોય છે (અર્થાત્ મોક્ષમાં સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ હોય છે). તેથી તેનો અભાવ જેનું કારણ છે એવા અનાકુળતાલક્ષણવાળા પરમાર્થસુખની મોક્ષમાં અચલિત અનુભૂતિ હોય છે. આ પ્રમાણે ભવ્ય જીવ જ ભાવથી જાણે છે, તેથી તે જ મોક્ષમાર્ગને યોગ્ય છે; અભવ્ય જીવ એ પ્રમાણે શ્રદ્ધતો નથી, તેથી તે મોક્ષમાર્ગને અયોગ્ય જ છે.

આથી (એમ કહ્યું કે) કેટલાક જ સંસારીઓ મોક્ષમાર્ગને યોગ્ય છે, બધાય નહિ. ૧૬૩.

દ્રગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં

સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪.

અન્વયાર્થઃ[ दर्शनज्ञानचारित्राणि ] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ मोक्षमार्गः ] મોક્ષમાર્ગ છે [ इति ] તેથી [ सेवितव्यानि ] તેઓ સેવવાયોગ્ય છે[ इदम् साधुभिः भणितम् ] એમ સાધુઓએ ૧. પારમાર્થિક સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ૨. પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનાકુળતા છે. ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં કહ્યું છે કે ‘તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે

શ્રદ્ધે છે અને પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે.’