Panchastikay Sangrah (Gujarati). Gatha: 165.

< Previous Page   Next Page >


Page 231 of 256
PDF/HTML Page 271 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૧
भवन्ति ततः स्वसमयप्रवृत्तिनाम्नो जीवस्वभावनियतचरितस्य साक्षान्मोक्षमार्गत्वमुपपन्न-
मिति ।।१६४।।
अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपओगादो
हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो ।।१६५।।
अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसम्प्रयोगात
भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ।।१६५।।
सूक्ष्मपरसमयस्वरूपाख्यानमेतत
अर्हदादिषु भगवत्सु सिद्धिसाधनीभूतेषु भक्तिभावानुरञ्जिता चित्तवृत्तिरत्र

કારણભાવ નિવૃત્ત થયો હોવાને લીધે સાક્ષાત્ મોક્ષકારણો જ છે. માટે ‘સ્વસમયપ્રવૃત્તિ’ નામનું જે જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તેને સાક્ષાત્ મોક્ષમાર્ગપણું ઘટે છે. ૧૬૪.

જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે
અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫.

અન્વયાર્થઃ[ शुद्धसम्प्रयोगात् ] શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) [ दुःखमोक्षः भवति ] દુઃખમોક્ષ થાય છે [ इति ] એમ [ यदि ] જો [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ ज्ञानी ] જ્ઞાની [ मन्यते ] માને, તો તે [ परसमयरतः जीवः ] પરસમયરત જીવ [ भवति ] છે. [‘અર્હંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ ક્રમે મોક્ષ થાય છે’ એવું જો અજ્ઞાનને લીધે (શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાર્થવાળું) વલણ વર્તે, તો ત્યાંસુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.]

ટીકાઃઆ, સૂક્ષ્મ પરસમયના સ્વરૂપનું કથન છે.

સિદ્ધિના સાધનભૂત એવા અર્હંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી અનુરંજિત ૧. આ નિરૂપણ સાથે સરખાવવા માટે શ્રી પ્રવચનસારની ૧૧મી ગાથા અને તેની તત્ત્વપ્રદીપિકા ટીકા

જુઓ. ૨. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો; આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો. ૩. અનુરંજિત = અનુરક્ત; રાગવાળી; સરાગ.