કારણભાવ નિવૃત્ત થયો હોવાને લીધે સાક્ષાત્ મોક્ષકારણો જ છે. માટે ‘સ્વસમયપ્રવૃત્તિ’ નામનું જે જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તેને સાક્ષાત્ મોક્ષમાર્ગપણું ઘટે છે.૧ ૧૬૪.
અન્વયાર્થઃ — [ शुद्धसम्प्रयोगात् ] શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) [ दुःखमोक्षः भवति ] દુઃખમોક્ષ થાય છે [ इति ] એમ [ यदि ] જો [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ ज्ञानी ] જ્ઞાની [ मन्यते ] ૨માને, તો તે [ परसमयरतः जीवः ] પરસમયરત જીવ [ भवति ] છે. [‘અર્હંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ ક્રમે મોક્ષ થાય છે’ એવું જો અજ્ઞાનને લીધે ( – શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાર્થવાળું) વલણ વર્તે, તો ત્યાંસુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.]
સિદ્ધિના સાધનભૂત એવા અર્હંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી ૩અનુરંજિત ૧. આ નિરૂપણ સાથે સરખાવવા માટે શ્રી પ્રવચનસારની ૧૧મી ગાથા અને તેની તત્ત્વપ્રદીપિકા ટીકા
જુઓ. ૨. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો; આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો. ૩. અનુરંજિત = અનુરક્ત; રાગવાળી; સરાગ.