Panchastikay Sangrah (Gujarati). Gatha: 13.

< Previous Page   Next Page >


Page 29 of 256
PDF/HTML Page 69 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૯

दुग्धदधिनवनीतघृतादिवियुतगोरसवत्पर्यायवियुतं द्रव्यं नास्ति गोरसवियुक्त दुग्धदधि- नवनीतघृतादिवद्द्रव्यवियुक्ताः पर्याया न सन्ति ततो द्रव्यस्य पर्यायाणां चादेशवशात्कथंचिद्- भेदेऽप्येकास्तित्वनियतत्वादन्योन्याजहद्वृत्तीनां वस्तुत्वेनाभेद इति ।।१२।।

दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि
अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा ।।१३।।
द्रव्येण विना न गुणा गुणैर्द्रव्यं विना न सम्भवति
अव्यतिरिक्तो भावो द्रव्यगुणानां भवति तस्मात् ।।१३।।
अत्र द्रव्यगुणानामभेदो निर्दिष्टः
पुद्गलपृथग्भूतस्पर्शरसगन्धवर्णवद्द्रव्येण विना न गुणाः सम्भवन्ति स्पर्शरस-

જેમ દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિથી રહિત ગોરસ હોતું નથી તેમ પર્યાયોથી રહિત દ્રવ્ય હોતું નથી; જેમ ગોરસથી રહિત દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિ હોતાં નથી તેમ દ્રવ્યથી રહિત પર્યાયો હોતા નથી. તેથી, જોકે દ્રવ્ય અને પર્યાયોનો આદેશવશાત્ (-કથનને વશ) કથંચિત્ ભેદ છે તોપણ, તેઓ એક અસ્તિત્વમાં નિયત (-દ્રઢપણે રહેલાં) હોવાને લીધે *અન્યોન્યવૃત્તિ નહિ છોડતાં હોવાથી વસ્તુપણે તેમનો અભેદ છે. ૧૨.

નહિ દ્રવ્ય વિણ ગુણ હોય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે;
તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩.

અન્વયાર્થ[द्रव्येण विना] દ્રવ્ય વિના [गुणाः न] ગુણો હોતા નથી, [गुणैः विना] ગુણો વિના [द्रव्यं न सम्भवति] દ્રવ્ય હોતું નથી; [तस्मात] તેથી [द्रव्यगुणानाम्] દ્રવ્ય અને ગુણોનો [अव्यतिरिक्तः भावः] અવ્યતિરિક્તભાવ (-અભિન્નપણું) [भवति] છે.

ટીકાઅહીં દ્રવ્ય અને ગુણોનો અભેદ દર્શાવ્યો છે.

જેમ પુદ્ગલથી પૃથક્ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ હોતાં નથી તેમ દ્રવ્ય વિના ગુણો હોતા નથી; જેમ સ્પર્શ-રસ-ગંધ-વર્ણથી પૃથક્ પુદ્ગલ હોતું નથી તેમ ગુણો વિના દ્રવ્ય હોતું *અન્યોન્યવૃત્તિ=એકબીજાના આશ્રયે નભવું તે; એકબીજાના આધારે ટકવું તે; એકબીજાને લીધે હયાત

રહેવું તે.