दुग्धदधिनवनीतघृतादिवियुतगोरसवत्पर्यायवियुतं द्रव्यं नास्ति । गोरसवियुक्त दुग्धदधि- नवनीतघृतादिवद्द्रव्यवियुक्ताः पर्याया न सन्ति । ततो द्रव्यस्य पर्यायाणां चादेशवशात्कथंचिद्- भेदेऽप्येकास्तित्वनियतत्वादन्योन्याजहद्वृत्तीनां वस्तुत्वेनाभेद इति ।।१२।।
જેમ દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિથી રહિત ગોરસ હોતું નથી તેમ પર્યાયોથી રહિત દ્રવ્ય હોતું નથી; જેમ ગોરસથી રહિત દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિ હોતાં નથી તેમ દ્રવ્યથી રહિત પર્યાયો હોતા નથી. તેથી, જોકે દ્રવ્ય અને પર્યાયોનો આદેશવશાત્ (-કથનને વશ) કથંચિત્ ભેદ છે તોપણ, તેઓ એક અસ્તિત્વમાં નિયત (-દ્રઢપણે રહેલાં) હોવાને લીધે *અન્યોન્યવૃત્તિ નહિ છોડતાં હોવાથી વસ્તુપણે તેમનો અભેદ છે. ૧૨.
અન્વયાર્થઃ — [द्रव्येण विना] દ્રવ્ય વિના [गुणाः न] ગુણો હોતા નથી, [गुणैः विना] ગુણો વિના [द्रव्यं न सम्भवति] દ્રવ્ય હોતું નથી; [तस्मात्] તેથી [द्रव्यगुणानाम्] દ્રવ્ય અને ગુણોનો [अव्यतिरिक्तः भावः] અવ્યતિરિક્તભાવ (-અભિન્નપણું) [भवति] છે.
જેમ પુદ્ગલથી પૃથક્ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ હોતાં નથી તેમ દ્રવ્ય વિના ગુણો હોતા નથી; જેમ સ્પર્શ-રસ-ગંધ-વર્ણથી પૃથક્ પુદ્ગલ હોતું નથી તેમ ગુણો વિના દ્રવ્ય હોતું *અન્યોન્યવૃત્તિ=એકબીજાના આશ્રયે નભવું તે; એકબીજાના આધારે ટકવું તે; એકબીજાને લીધે હયાત