अत्र सदसतोरविनाशानुत्पादौ स्थितिपक्षत्वेनोपन्यस्तौ । છે, તે જ (દ્રવ્ય) તેવી ઉભય અવસ્થામાં વ્યાપનારો જે પ્રતિનિયત-એક-વસ્તુત્વના કારણભૂત સ્વભાવ તેના વડે ( – તે સ્વભાવની અપેક્ષાએ) અવિનષ્ટ અને અનુત્પન્ન જણાય છે; તેના પર્યાયો પૂર્વ પૂર્વ પરિણામના નાશરૂપ અને ઉત્તર ઉત્તર પરિણામના ઉત્પાદરૂપ હોવાથી વિનાશ – ઉત્પાદધર્મવાળા ( – વિનાશ ને ઉત્પાદરૂપ ધર્મવાળા) કહેવામાં આવે છે, અને તેઓ (પર્યાયો) વસ્તુપણે દ્રવ્યથી અપૃથગ્ભૂત જ કહેવામાં આવ્યા છે. તેથી, પર્યાયો સાથે એકવસ્તુપણાને લીધે જન્મતું અને મરતું હોવા છતાં જીવદ્રવ્ય સર્વદા અનુત્પન્ન અને અવિનષ્ટ જ દેખવું ( – શ્રદ્ધવું); દેવ-મનુષ્યાદિ પર્યાયો ઊપજે છે અને વિનાશ પામે છે કારણ કે તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય છે અને વીતી જાય છે. ૧૮.
અન્વયાર્થઃ — [एवं] એ રીતે [जीवस्य] જીવને [ सतः विनाशः ] સત્નો વિનાશ અને [असतः उत्पादः] અસત્નો ઉત્પાદ [न अस्ति] નથી; (‘દેવ જન્મે છે ને મનુષ્ય મરે છે’ એમ કહેવાય છે તેનું એ કારણ છે કે) [जीवानाम्] જીવોને [देवः मनुष्यः] દેવ, મનુષ્ય [इति गतिनाम] એવું ગતિનામકર્મ [तावत्] તેટલા જ કાળનું હોય છે.