विवर्तत इति ।।१७।।
मानं च द्रव्यमालक्ष्यते, तदेव तथाविधोभयावस्थाव्यापिना प्रतिनियतैकवस्तुत्वनिबन्धनभूतेन દેવત્વસ્વરૂપ, નારકત્વસ્વરૂપ કે તિર્યંચત્વસ્વરૂપ અન્ય પર્યાયથી ઊપજે છે. ત્યાં એમ નથી કે મનુષ્યપણાથી નાશ થતાં જીવપણાથી પણ નષ્ટ થાય છે અને દેવપણા વગેરેથી ઉત્પાદ થતાં જીવપણાથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સત્ના ઉચ્છેદ અને અસત્ના ઉત્પાદ વિના જ તે પ્રમાણે વિવર્તન ( – પરિવર્તન, પરિણમન) કરે છે. ૧૭.
અન્વયાર્થઃ — [सः च एव] તે જ [याति] જન્મે છે અને [मरणं याति] મરણ પામે છે છતાં [न एव उत्पन्नः] તે ઉત્પન્ન થતો નથી [च] અને [न नष्टः] નષ્ટ થતો નથી; [देवः मनुष्यः] દેવ, મનુષ્ય [इति पर्यायः] એવો પર્યાય [उत्पन्नः] ઉત્પન્ન થાય છે [च] અને [विनष्टः] વિનષ્ટ થાય છે.
ટીકાઃ — અહીં, દ્રવ્ય કથંચિત્ વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેનું સદા અવિનષ્ટપણું અને અનુત્પન્નપણું કહ્યું છે.
જે દ્રવ્ય ૧પૂર્વ પર્યાયના વિયોગથી અને ૨ઉત્તર પર્યાયના સંયોગથી થતી ઉભય અવસ્થાને આત્મસાત્ (પોતારૂપ) કરતું થકું વિનાશ પામતું અને ઊપજતું જોવામાં આવે ૧. પૂર્વ=પહેલાંના ૨.ઉત્તર=પછીના