Panchastikay Sangrah (Gujarati). Gatha: 17.

< Previous Page   Next Page >


Page 35 of 256
PDF/HTML Page 75 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૩૫
स्त्वगुरुलघुगुणहानिवृद्धिनिर्वृत्ताः शुद्धाः, सूत्रोपात्तास्तु सुरनारकतिर्यङ्मनुष्यलक्षणाः परद्रव्य-
सम्बन्धनिर्वृत्तत्वादशुद्धाश्चेति
।।१६।।
मणुसत्तणेण णट्ठो देही देवो हवेदि इदरो वा
उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो ।।१७।।
मनुष्यत्वेन नष्टो देही देवो भवतीतरो वा
उभयत्र जीवभावो न नश्यति न जायतेऽन्यः ।।१७।।
इदं भावनाशाभावोत्पादनिषेधोदाहरणम्
प्रतिसमयसम्भवदगुरुलघुगुणहानिवृद्धिनिर्वृत्तस्वभावपर्यायसन्तत्यविच्छेदकेनैकेन सोपा-

धिना मनुष्यत्वलक्षणेन पर्यायेण विनश्यति जीवः, तथाविधेन देवत्वलक्षणेन (અર્થાત્ જીવના *ગુણો શુદ્ધ-અશુદ્ધ ચેતના તથા બે પ્રકારનો ઉપયોગ છે).

જીવના પર્યાયો આ પ્રમાણે છેઃ અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા પર્યાયો શુદ્ધ પર્યાયો છે અને સૂત્રમાં (આ ગાથામાં) કહેલા, દેવ-નારક-તિર્યંચ-મનુષ્યસ્વરૂપ પર્યાયો પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે. ૧૬.

મનુજત્વથી વ્યય પામીને દેવાદિ દેહી થાય છે;
ત્યાં જીવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્ભવ લહે. ૧૭.

અન્વયાર્થ[मनुष्यत्वेन] મનુષ્યપણાથી [नष्टः] નષ્ટ થયેલો [देही] દેહી (જીવ) [देवः वा इतरः] દેવ અથવા અન્ય [भवति] થાય છે; [उभयत्र] તે બન્નેમાં [जीवभावः] જીવભાવ [न नश्यति] નષ્ટ થતો નથી અને [अन्यः] બીજો જીવભાવ [न जायते] ઉત્પન્ન થતો નથી.

ટીકા‘ભાવનો નાશ થતો નથી અને અભાવનો ઉત્પાદ થતો નથી’ તેનું આ ઉદાહરણ છે.

પ્રત્યેક સમયે થતી અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા સ્વભાવપર્યાયોની સંતતિનો વિચ્છેદ નહિ કરનારા એક સોપાધિક મનુષ્યત્વસ્વરૂપ પર્યાયથી જીવ વિનાશ પામે છે અને તથાવિધ (સ્વભાવપર્યાયોના પ્રવાહને નહિ તોડનારા સોપાધિક) *પર્યાયાર્થિક નયે ગુણો પણ પરિણામી છે. (૧૫મી ગાથાની ટીકા જુઓ.)