स्वकारणनिवृत्तौ निवृत्तेऽभूतपूर्व एव चान्यस्मिन्नुत्पन्ने नासदुत्पत्तिः, तथा दीर्घकालान्वयिनि
ભાવાર્થઃ — જીવને ધ્રૌવ્ય અપેક્ષાએ સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ નથી. ‘મનુષ્ય મરે છે ને દેવ જન્મે છે’ એમ જે કહેવામાં આવે છે તે વાત પણ ઉપરોક્ત હકીકત સાથે વિરોધ પામતી નથી. જેમ મોટા એક વાંસની અનેક કાતળીઓ પોતપોતાનાં સ્થાનોમાં વિદ્યમાન છે અને બીજી કાતળીઓનાં સ્થાનોમાં અવિદ્યમાન છે તથા વાંસ તો સર્વ કાતળીઓનાં સ્થાનોમાં અન્વયરૂપે વિદ્યમાન હોવા છતાં પ્રથમાદિ કાતળીરૂપે દ્વિતીયાદિ કાતળીમાં નહિ હોવાથી અવિદ્યમાન પણ કહેવાય છે, તેમ ત્રિકાળ-અવસ્થાયી એક જીવના નરનારકાદિ અનેક પર્યાયો પોતપોતાના કાળમાં વિદ્યમાન છે અને બીજા પર્યાયોના કાળમાં અવિદ્યમાન છે તથા જીવ તો સર્વ પર્યાયોમાં અન્વયરૂપે વિદ્યમાન હોવા છતાં મનુષ્યાદિપર્યાયરૂપે દેવાદિપર્યાયમાં નહિ હોવાથી અવિદ્યમાન પણ કહેવાય છે. ૧૯.
અન્વયાર્થઃ — [ज्ञानावरणाद्याः भावाः] જ્ઞાનાવરણાદિ ભાવો [जीवेन] જીવ સાથે [सुष्ठु] સારી રીતે [अनुबद्धाः] અનુબદ્ધ છે; [तेषाम् अभावं कृत्वा] તેમનો અભાવ કરીને તે [अभूतपूर्वः सिद्धः] અભૂતપૂર્વ સિદ્ધ [भवति] થાય છે.
ટીકાઃ — અહીં સિદ્ધને અત્યંત અસત્-ઉત્પાદનો નિષેધ કર્યો છે (અર્થાત્ સિદ્ધપણું થતાં સર્વથા અસત્નો ઉત્પાદ થતો નથી એમ કહ્યું છે).