Pravachan Ratnakar (Gujarati). Gatha: 86.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1001 of 4199

 

ગાથા–૮૬

कुतो द्विक्रियानुभावी मिथ्याद्रष्टिरिति चेत्–

जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति।
तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुंति।। ८६।।

यस्मात्त्वात्मभावं पुद्गलभावं च द्वावपि कुर्वन्ति।
तेन तु
मिथ्याद्रष्टयो द्विक्रियावादिनो भवन्ति।। ८६।।

હવે ફરી પુછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદ્રષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છેઃ-

જીવભાવ, પુદ્ગલભાવ–બન્ને ભાવને જેથી કરે,
તેથી જ મિથ્યાદ્રષ્ટિ એવા
દ્વિક્રિયાવાદી ઠરે. ૮૬.

ગાથાર્થઃ– [यस्मात् तु] જેથી [आत्मभावं] આત્માના ભાવને [च] અને [पुद्गलभावं] પુદ્ગલના ભાવને- [द्वौ अपि] બન્નેને [कुर्वंति] આત્મા કરે છે એમ તેઓ માને છે [तेन तु] તેથી [द्विक्रियावादिनः] એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા [मिथ्याद्रष्टयः] મિથ્યાદ્રષ્ટિ [भवन्ति] છે.

ટીકાઃ– નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા) આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ) વ્યાપારપરિણામને (-વ્યાપારરૂપ પરિણામને) -કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને (ઘડારૂપ પરિણામને) -કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી; તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને- કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ