काविह जीवाजीवाविति चेत्–
उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु।। ८८।।
उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु।। ८८।।
હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છેઃ-
ગાથાર્થઃ– [मिथ्यात्वं] જે મિથ્યાત્વ, [योगः] યોગ, [अविरतिः] અવિરતિ અને [अज्ञानम्] અજ્ઞાન [अजीवः] અજીવ છે તે તો [पुद्गलकर्म] પુદ્ગલકર્મ છે; [च] અને જે [अज्ञानम्] અજ્ઞાન, [अविरतिः] અવિરતિ અને [मिथ्यात्वं] મિથ્યાત્વ [जीवः] જીવ છે [तु] તે તો [उपयोगः] ઉપયોગ છે.
ટીકાઃ– નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.
હવે પૂછે છે કે મિથ્યાત્વાદિને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છેઃ-
‘નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે, અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.’