ज्ञानात्तु न कर्म प्रभवतीत्याह–
सो णाणमओ जीवो कम्माणमकारगो होदि।। ९३ ।।
स ज्ञानमयो जीवः कर्मणामकारको भवति।। ९३ ।।
જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છેઃ-
એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ૯૩.
ગાથાર્થઃ– [परम्] જે પરને [आत्मानम्] પોતારૂપ [अकुर्वन्] કરતો નથી [च] અને [आत्मानम् अपि] પોતાને પણ [परम्] પર [अकुर्वन्] કરતો નથી [सः] તે [ज्ञानमयः जीवः] જ્ઞાનમય જીવ [कर्मणाम्] કર્મોનો [अकारकः भवति] અકર્તા થાય છે અર્થાત્ કર્તા થતો નથી.
ટીકાઃ– જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહિ કરતો અને પોતાને પર નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ-જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષસુખદુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષસુખદુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો,