Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 4199

 

[ સમયસાર પ્રવચન

मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते–
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः।।
३।।

_________________________________________________________________ વિકારોથી કથંચિત્ ભિન્ન એકાકાર છે એવા આત્માના તત્ત્વને, અર્થાત્ અસાધારણ- સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ-નિજસ્વરૂપને [पश्यन्ती] તે મૂર્તિ અવલોકન કરે છે -દેખે છે.

ભાવાર્થઃ– અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી, તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે. જે સમ્યગ્જ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે આ રીતે સર્વ પદાર્થોના તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ ‘વાણી, ભારતી, શારદા, વાગ્દેવી’ ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને ‘સ્યાત્’ -પદથી એક ધર્મોમાં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.

કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? તેનો ઉત્તરઃ– વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું, ઈત્યાદિ (ધર્મ) તો ગુણ છે; અને તે ગુણોનું ત્રણે કાળે સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે- જે અનંત છે. વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું, આદિ અનેક ધર્મ છે. તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે- જે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે.

આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, બીજા અચેતન દ્રવ્યોમાં નથી. સજાતીય જીવદ્રવ્યો અનંત છે. તેમનામાંય જોક કે ચેતનપણું છે તોપણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે; કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક