Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1129 of 4199

 

૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

(मंदाक्रान्ता)
ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था
ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः।
ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः
क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।। ६० ।।

(अनुष्टुभ्)
अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा।
स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित्।। ६१ ।।

કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ) [अचलं चैतन्यधातुम्] અચળ ચૈતન્યધાતુમાં [सदा] સદા [अधिरूढः] આરૂઢ થયો થકો (અર્થાત્ તેનો આશ્રય કરતો થકો) [जानीत एव हि] માત્ર જાણે જ છે, [किञ्चन अपि न करोति] કાંઈ પણ કરતો નથી (અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી).

ભાવાર્થઃ– જે સ્વ-પરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. પ૯.

હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છેઃ-

શ્લોકાર્થઃ– [ज्वलन–पयसोः औष्णय–शैत्य–व्यवस्था] (ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [ज्ञानात् एव] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [लवणस्वादभेदव्युदासः ज्ञानात् एव उल्लसति] લવણના સ્વાદભેદનું નિરસન (-નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા) જ્ઞાનથી જ થાય છે (અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [स्वरसविकसन्नित्यचैतन्यधातोः च क्रोधादेः भिदा] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [कर्तृभावम् भिन्दती] ર્ક્તૃત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો, [ज्ञानात् एव प्रभवति] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૬૦.

હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથી- એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एवं] આ રીતે [अञ्जसा] ખરેખર [आत्मानम्] પોતાને [अज्ञानं ज्ञानम् अपि] અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ [कुर्वन्] કરતો [आत्मा आत्मभावस्य कर्ता स्यात्] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [परभावस्य] પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો [क्वचित् न] કદી નથી. ૬૧.