Pravachan Ratnakar (Gujarati). Gatha: 99.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1165 of 4199

 

ગાથા–૯૯
जदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज।
जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता।। ९९ ।।
यदि स परद्रव्याणि च कुर्यान्नियमेन तन्मयो भवेत्।
यस्मान्न तन्मयस्तेन स न तेषां भवति कर्ता।। ९९ ।।

વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છેઃ-

પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને,
પણ તે નથી તન્મય અરે! તેથી નહિ કર્તા ઠરે. ૯૯.

ગાથાર્થઃ– [यदि च] જો [सः] આત્મા [परद्रव्याणि] પરદ્રવ્યોને [कुर्यात्] કરે તો તે [नियमेन] નિયમથી [तन्मयः] તન્મય અર્થાત્ પરદ્રવ્યમય [भवेत्] થઈ જાય; [यस्मात् न तन्मयः] પરંતુ તન્મય નથી [तेन] તેથી [सः] તે [तेषां] તેમનો [कर्ता] ર્ક્તા [न भवति] નથી.

ટીકાઃ– જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પરદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય- વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.

ભાવાર્થઃ– એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.

* * *
સમયસાર ગાથા ૯૯ઃ મથાળું

વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છેઃ-

* ગાથા ૯૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શક્તું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પરદ્રવ્યમય)