Pravachan Ratnakar (Gujarati). Gatha: 101.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1179 of 4199

 

ગાથા–૧૦૧

ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात्–

जे पोग्गलदव्वाणं परिणामा होंति णाणआवरणा।
ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी।। १०१ ।।
ये पुद्गलद्रव्याणां परिणामा भवन्ति ज्ञानावरणानि।
न करोति तान्यात्मा यो जानाति स भवति ज्ञानी।। १०१ ।।

હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છેઃ-

જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણા પરિણામ છે,
કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧.

ગાથાર્થઃ– [ये] જે [ज्ञानावरणानि] જ્ઞાનાવરણાદિક [पुद्गलद्रव्याणां] પુદ્ગલદ્રવ્યોના [परिणामाः] પરિણામ [भवन्ति] છે [तानि] તેમને [यः आत्मा] જે આત્મા [न करोति] કરતો નથી પરંતુ [जानाति] જાણે છે [सः] તે [ज्ञानी] જ્ઞાની [भवति] છે.

ટીકાઃ– જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાપ્ત થઈને (-વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી, તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુદ્ગલદ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઊપજતા પુદ્ગલદ્રવ્યના પરિણામ છે, તેમને જ્ઞાની કરતો નથી; પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, પોતાથી (જોનારથી) વ્યાપ્ત થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન (જોવાપણું) તેમાં વ્યાપીને, માત્ર જુએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી (જ્ઞાનીથી) વ્યાપ્ત થઈને ઊપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.

વળી એવી જ રીતે ‘જ્ઞાનાવરણ’ પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.

* * *