સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ] [ ૨૦પ હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો.’
જુઓ, આ અજ્ઞાનીના તર્કનું નિરાકરણ છે.
વિકલ્પ થયો કે આંગળીથી રોટલીના ટુકડા કરું; ત્યાં આંગળી પોતાથી સ્વયં પરિણમે છે કે જીવના વિકલ્પથી? જો આંગળી સ્વયં પોતાથી ન પરિણમે તો જીવ તેને કેમ પરિણમાવી શકે? અને જો આંગળી સ્વયં પોતાથી જ પરિણમે છે તો જીવે શું કર્યું? કાંઈ જ નહિ. માટે આંગળીનું પરિણમન સ્વયં આંગળીથી પોતાથી થયું છે, જીવની ઇચ્છાથી નહિ-આ ન્યાય છે.
જુઓ, માટીમય ઘડાની પર્યાય થઈ તે માટીથી થઈ કે કુંભારથી થઈ? જો માટી સ્વયં ઘડારૂપે પરિણમી ન હોય તો કુંભાર તેને પરિણમાવી શકે નહિ; અને જો સ્વયં માટી ઘડારૂપે પરિણમી છે તો તેમાં કુંભારે શું કર્યું? તેમાં કુંભારની કોઈ અપેક્ષા રહી જ નહિ. ભાઈ! આ આંખ ઊંચી-નીચી થાય તે પરિણમન આંખનું પોતાનું છે, જીવનું તેમાં કાંઈ કર્તવ્ય નથી; કેમકે જો આંખ સ્વયં પરિણમે નહિ તો તેને બીજો પરિણમાવી શકે નહિ અને જો આંખ સ્વયં પોતાથી પરિણમે છે તો અન્યની-જીવની તેમાં અપેક્ષા ન હોય. આ તો ન્યાયથી-લોજિકથી વાત છે. જો વસ્તુમાં પરિણમનશક્તિ સ્વતઃ ન હોય તો તેને બીજો પરિણમાવી શકે નહિ અને જો સ્વતઃ પરિણમન શક્તિ છે તો તેને પરિણમવામાં બીજા પરિણમાવનારની અપેક્ષા ન હોય કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.
પ્રશ્નઃ– પર્યાયમાં જે વિકાર થાય છે તેને કર્મની અપેક્ષા છે કે નહિ?
ઉત્તરઃ– (જીવમાં) વિકારની જે કોઈ પર્યાય થાય છે તે પોતાના ષટ્કારકથી સ્વતંત્ર થાય છે; તેમાં કર્મના કારકોની અપેક્ષા ત્રણકાળમાં નથી. કર્મ છે તો જીવને પર્યાયમાં વિકાર થાય છે એ વાત તદ્ન જૂઠી છે. વિકારભાવ થવામાં નિશ્ચયથી કર્મની અપેક્ષા છે જ નહિ. વસ્તુમાં પરિણમનની પોતાની શક્તિથી પરિણમન થાય છે ત્યાં પરની અપેક્ષા શું? જો પોતાની પરિણમનશક્તિ ન હોય તો બીજો કેવી રીતે પરિણમાવી શકે? અન્ય અન્યને પરિણમાવે એ વસ્તુસ્થિતિ જ નથી.
અહાહા...! પ્રત્યેક દ્રવ્યની સમયસમયની પ્રત્યેક પર્યાય તે તે કાળે (સ્વકાળે) પોતાથી થાય છે, પરથી નહિ, એ વાત અહીં સિદ્ધ કરવી છે. કર્મરૂપ જે પરિણમન થાય છે તે અજીવની-પુદ્ગલની પર્યાય છે. પુદ્ગલ કર્મરૂપ પરિણમે તે પોતાની શક્તિથી પરિણમે છે, પરથી નહિ. પુદ્ગલની પોતાની પરિણમનની શક્તિ ન હોય તો બીજો તેને પરિણમાવી શકે નહિ; અને સ્વયં પોતાની શક્તિથી પરિણમે છે તો તેમાં બીજાની-જીવની