अयमयया भावादो जह जायंते दु कडयादी।। १३० ।।
णाणिस्स दु णाणमया सव्वे भावा तहा होंति।। १३१ ।।
अयोमयकाद्भावाद्यथा जायन्ते तु कटकादयः।। १३० ।।
ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवन्ति।। १३१ ।।
હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ-
પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩૦.
પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧.
ગાથાર્થઃ– [यथा] જેમ [कनकमयात् भावात्] સુવણમય ભાવમાંથી [कुण्डलादयः भावाः] સુવર્ણમય કુંડળ વગેરે ભાવો [जायन्ते] થાય છે [तु] અને [अयोमयकात् भावात्] લોહમય ભાવમાંથી [कटकादयः] લોહમય કડાં વગેરે ભાવો [जायन्ते] થાય છે, [तथा] તેમ [अज्ञानिनः] અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) [बहुविधाः अपि] અનેક પ્રકારના [अज्ञानमयाः भावाः] અજ્ઞાનમય ભાવો [जायन्ते] થાય છે [तु] અને [ज्ञानिनः] જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) [सर्वे] સર્વ [ज्ञानमयाः भावाः] જ્ઞાનમય ભાવો [भवन्ति] થાય છે.
ટીકાઃ– જેવી રીતે પુદ્ગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં