Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 131 of 4199

 

૧૨૪ [ સમયસાર પ્રવચન

જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ જાણીને અભેદની દ્રષ્ટિ કરવી તે ધર્મ છે. ભેદ અભેદને બતાવે છે, પણ ભેદ દ્રષ્ટિનો વિષય નથી. તેથી અહીં વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું.

અભેદને બતાવવા વ્યવહાર કહ્યો, પણ વ્યવહાર આશ્રય લેવા માટે નથી. અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થનો આશ્રય કરાવ્યો છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુનું આલંબન કરાવવા માટે ભેદથી ઉપદેશ છે. તેથી ભેદનું લક્ષ છોડી અખંડ આનંદકંદ અભેદ ચૈતન્ય સામાન્ય વસ્તુ જે આત્મા છે તેનો એકનો જ આશ્રય કરવો તે ધર્મ છે એમ જાણી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો, પણ ભેદમાં અટકવું નહીં.

* *