જીવ–અજીવ અધિકાર
ગાથા–૯–૧૦
कथं व्यवहारस्य प्रतिपादकत्वमिति चेत्–
जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं।
तं
तं
सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा।। ९।।
जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा।
णाणं
णाणं
अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हो।। १०।। जुम्मं।।
यो हि श्रुतेनाभिगच्छति आत्मानमिमं तु केवलं शुद्धम्।
तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकराः।।
तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकराः।।
९।।
यः श्रुतज्ञानं सर्वं जानाति श्रुतकेवलिनं तमाहुर्जिनाः।
ज्ञानमात्मा सर्व यस्माच्छ्रुतकेवली तस्मात्।।
१०।। युग्मम्।
શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને,
લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯
લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯
શ્રુતજ્ઞાન સૌ
જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે;
સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦.
હવે, એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-
ગાથાર્થઃ– [यः] જે જીવ [हि] નિશ્ચયથી [श्रुतेन तु] શ્રુતજ્ઞાનવડે [इमं] આ અનુભવગોચર [केवलं शुद्धम्] કેવળ એક શુદ્ધ [आत्मानम्] આત્માને [अभि–