पुद्गलद्रव्यात्पृथग्भूत एव जीवस्य परिणामः–
एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा।। १३९ ।।
ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो।। १४० ।।
एवं जीवः कर्म च द्वे अपि रागादित्वमापन्ने।। १३९ ।।
एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः।
तत्कर्मोदयहेतुभिर्विना जीवस्य परिणामः।। १४० ।।
પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ-
તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે! ૧૩૯.
તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦.
ગાથાર્થઃ– [जीवस्य तु] જો જીવને [कर्मणा च सह] કર્મની સાથે જ [रागादयः परिणामाः] રાગાદિ પરિણામો [खलु भवन्ति] થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે [एवं] તો એ રીતે [जीवः कर्म च] જીવ અને કર્મ [द्वे अपि] બન્ને [रागादित्वम् आपन्ने] રાગાદિપણાને પામે. [तु] પરંતુ [रागादिभिः परिणामः] રાગાદિભાવે પરિણામ તો [जीवस्य एकस्य] જીવને એકને જ [जायते] થાય છે [तत्] તેથી [कर्मोदयहेतुभिः विना] કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ [जीवस्य] જીવનું [परिणामः] પરિણામ છે.
ટીકાઃ– જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે- એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ