૨૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
स्वरूपगुप्ता निवसन्ति नित्यम्।
विकल्पजालच्युतशान्तचित्ता–
स्त एव साक्षादमृतं पिबन्ति।। ६९ ।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७० ।।
છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડયો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો; કોઈએ અબંધ પક્ષ પકડયો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો; અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તેજ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.
હવે, ‘જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છેઃ-
શ્લોકાર્થઃ– [ये एव] જેઓ [नयपक्षपातं मुक्त्वा] નયપક્ષપાતને છોડી [स्वरूपगुप्ताः] (પોતાના) સ્વરૂપમાં ગુપ્ત થઈને [नित्यम्] સદા [निवसन्ति] રહે છે [ते एव] તેઓ જ, [विकल्पजालच्युतशान्तचित्ताः] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, [साक्षात् अमृतं पिबन्ति] સાક્ષાત્ અમૃતને પીએ છે.
ભાવાર્થઃ– જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯.
હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે તે તત્ત્વવેદી (તત્ત્વનો જાણનાર) સ્વરૂપને પામે છેઃ-
શ્લોકાર્થઃ– [बद्धः] જીવ કર્મથી બંધાયેલો છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ કર્મથી બંધાયેલો નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ