૨૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्।
अन्तर्बहिः समरसैकरसस्वभावं
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।। ९०।।
पुष्कलोच्चलविकल्पवीचिभिः।
यस्य विस्फुरणमेव तत्क्षणं
कृत्स्नमस्यति तदस्मि चिन्महः।। ९१।।
કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિત્સ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે. ૮૯.
ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છેઃ-
શ્લોકાર્થઃ– [एवं] એ પ્રમાણે [स्वेच्छा–समुच्छलद्–अनल्प–विकल्प–जालाम्] જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [महतीं] મોટી [नयपक्षकक्षाम्] નયપક્ષકક્ષાને (નપપક્ષની ભૂમિને) [व्यतीत्य] ઓળંગી જઈ (તત્ત્વવેદી) [अन्तः बहिः] અંદર અને બહાર [समरसैकरसस्वभावं] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [अनुभूतिमात्रम् एकम् स्वं भावम्] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને) [उपयाति] પામે છે. ૯૦.
હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [पुष्कल–उत्–चल–विकल्प–वीचिभिः उच्छलत्] પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી [इदम् एवम् कृत्स्नम् इन्द्रजालम्] આ સમસ્ત ઇંદ્રજાળને [यस्य विस्फुरणम् एव] જેનું *સ્ફુરણ માત્ર જ [तत्क्षणं] તત્ક્ષણ [अस्यति] ભગાડી મૂકે છે [तत् चिन्महः अस्मि] તે ચિન્માત્ર તેજઃપુંજ હું છું.
ભાવાર્થઃ– ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિત્પ્રકાશ હું છું. ૯૧.
_________________________________________________________________ * સ્કુરણ = ફરકવું તે; ધનુષ્ય-ટંકાર કરવો તે.