૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव।
द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण।। १०१ ।।
જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ પુણ્ય- પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ-
ગાથાર્થઃ– [अथ] હવે (કર્તાકર્મ અધિકાર પછી), [शुभ–अशुभ–भेदतः] શુભ અને અશુભના ભેદને લીધે [द्वितयतां गतम् तत् कर्म] બે-પણાને પામેલા તે કર્મને [ऐक्यम् उपानयन्] એકરૂપ કરતો, [ग्लपित–निर्भर–मोहरजा] જેણે અત્યંત મોહરજને દૂર કરી છે એવો [अयं अवबोध–सुधाप्लवः] આ (પ્રત્યક્ષ-અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમાં) [स्वयम्] સ્વયં [उदेति] ઉદય પામે છે.
ભાવાર્થઃ– અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧૦૦.
હવે પુણ્ય-પાપના સ્વરૂપના દ્રષ્ટાંતરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– (શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો.) [एकः] એક તો [ब्राह्मणत्व–अभिमानात्] ‘હું બ્રાહ્મણ છું’ એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે [मदिरां] મદિરાને [दूरात्] દૂરથી જ [त्यजति] છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી; [अन्यः] બીજો [अहम् स्वयम् शूद्रः इति] ‘હું પોતે શૂદ્ર છું’ એમ માનીને [तया एव] મદિરાથી જ [नित्यं] નિત્ય [स्नाति] સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. [एतौ द्वौ अपि] આ બન્ને પુત્રો [शूद्रिकायाः उदरात् युगपत् निर्गतौ] શૂદ્રાણીના ઉદયથી એકીસાથે જન્મ્યા છે તેથી [साक्षात् शूद्रौ] (પરમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, [अपि च]