Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1481 of 4199

 

૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ એકલો અમૃતનો પિંડ છે. એની દ્રષ્ટિ થયા વિના અર્થાત્ સ્વાનુભૂતિના આનંદને પ્રાપ્ત થયા વિના અરેરે! એ જગતમાં ઝેરનાં ફળ પામીને રખડશે! ભાઈ! કેવળ શુભરાગમય એવાં વ્રત અને તપ તો તેં અનંતવાર કર્યાં. પણ એમાં કયાં ચૈતન્યનો-અમૃતનો અંશ હતો? એ તો બધા અચેતન ઝેરરૂપ પરિણામ હતા. બાપુ! તારા ઘરમાં (-સ્વરૂપમાં) એ ચીજ (-શુભાશુભ પરિણામ) કયાં છે? પ્રભુ! તારું ઘર (-સ્વરૂપ) તો એકલા પવિત્ર અમૃતથી ભરેલું છે. જ્યારે આ શુભાશુભ પરિણામ બધા અશુચિ છે, ઝેર છે, અચેતન છે. ભાઈ! તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય અને સુખી જ થવું હોય તો બેય પરિણામને છોડી શુદ્ધાત્માની દ્રષ્ટિ કર. ત્યાં તને અવશ્ય સુખ મળશે.

આ રીતે શુભ અને અશુભ પરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી બન્ને એક જ છે; બેમાં કોઈ ફેર નથી. તેઓ એક હોવાથી કર્મના કારણમાં કોઈ ભેદ નથી; કર્મનું કારણ અજ્ઞાન એક જ છે; માટે કર્મ એક જ છે.

૨. ‘શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.’ જુઓ, જડ કર્મની પ્રકૃતિ ચાહે તો શાતાવેદનીય બંધાય કે અશાતાવેદનીય બંધાય, યશકીર્તિ બંધાય કે અપયશકીર્તિ બંધાય ઇત્યાદિ એ બધાય પુદ્ગલપરિણામ હોવાથી કેવળ પુદ્ગલમય હોવાથી એક છે. તે એક હોવાથી કર્મના સ્વભાવમાં પણ ફેર નથી. પુણ્ય ને પાપ, શાતા ને અશાતા-એ બધાય પુદ્ગલના પરિણામ હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી. માટે કર્મ એક જ છે.

૩. ‘શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે.’ શું કહ્યું આ? શુભનું ફળ અને અશુભનું ફળ કેવળ પુદ્ગલમય છે. શુભના ફળથી આ લક્ષ્મી આદિ કે સ્વર્ગાદિ મળે અને અશુભના ફળમાં નરકાદિ મળે એ બધુંય પુદ્ગલમય છે. (એમાં એકેમાંય આત્મા નથી.) પાપના ફળમાં પુદ્ગલ મળે અને પુણ્યના ફળમાંય પુદ્ગલ મળે, માટે તે એક હોવાથી કર્મના અનુભવમાં-ફળમાં ભેદ નથી. બેનોય સ્વાદ-વેદન દુઃખરૂપ છે. માટે કર્મ એક જ છે.

૪. ‘‘શુભ (-સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી તેઓ અનેક (-જુદાં જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.’’

જુઓ, આમાં જરા ફેર છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનાં સમ્યક્ શ્રદ્ધા,