Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1563 of 4199

 

૧૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સિવાય સમ્યગ્દર્શન અંતરસ્થિરતા કરી શકતા નથી. જોકે પોતે સદાય સત્સ્વરૂપે અંતરમાં વિરાજમાન છે અને અંતર્મુખ થઈ એકાકારરૂપે-ચિદાકારપણે પરિણમતાં એની પ્રાપ્તિ સુલભ છે તોપણ સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી પર્યાયમાં એની પ્રાપ્તિ થવી દોહ્યલી-દુર્લભ કહી છે. આત્માનો અનુભવ કર્યા વિના રાગ વડે આત્મપ્રાપ્તિ થવી દુર્લભ છે.

અહીં કહે છે-જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભકર્મો નહિ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે અર્થાત્ તે (જ્ઞાની) મોક્ષને પામે છે; અને અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભકર્મો હોવા છતાં, તે સઘળાં બંધનાં કારણ હોવાથી મોક્ષનો અસદ્ભાવ છે અર્થાત્ અજ્ઞાની મોક્ષને પામતો નથી, બંધને જ પામે છે.

* * *

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૦પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

અહાહા...! કળશે કળશે અને ગાથાએ ગાથાએ કેટલા ખુલાસા કરેલા છે. કહે છે-‘यद् एतद्’ જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે ‘अयं शिवस्य हेतुः’ તે જ મોક્ષનો હેતુ છે. શું કહ્યું? ધ્રુવપણે એટલે નિશ્ચયપણે-નક્કીપણે અને અચળપણે એટલે ન ફરે એ રીતે જ્ઞાનસ્વરૂપે થતો એટલે અતીન્દ્રિય આનંદના સ્વાદે પરિણમતો જે આ ભગવાન આત્મા છે તે જ મોક્ષનો હેતુ છે.

રાગનો જે સ્વાદ છે તે દુઃખ છે. અશુભરાગ-કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષયવાસના ઇત્યાદિ તીવ્ર દુઃખ છે તો શુભરાગ-દયા, દાન, વ્રત, તપ, શીલ ઇત્યાદિ પણ દુઃખરૂપ જ છે, આકુળતા જ છે. અને એ બન્નેથી રહિત ભગવાન આત્મા છે જેનો જ્ઞાન અને આનંદ સ્વભાવ છે. આવા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનું અતીન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપે પરિણમવું એ જ મોક્ષનું કારણ છે. હવે કારણ દર્શાવે છે-

‘यतः’ કારણ કે ‘तत् स्वयम् अपि शिवः इति’ તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે. જુઓ, આત્મા પોતે મોક્ષસ્વરૂપ જ છે અને તેનું પરિણમન પણ મોક્ષસ્વરૂપ જ છે. અહાહા...! વસ્તુસ્વભાવ રાગથી ભિન્ન મોક્ષસ્વરૂપ છે. તેથી તેનું પરિણમન જે મોક્ષસ્વરૂપ છે તે જ મોક્ષનું કારણ થાય છે. હવે આવી વાત બહુ આકરી લાગે માણસને. શુભથી થાય એમ માને છે ને? તેથી આકરી લાગે છે પણ શું થાય? હવે કહે છે-

‘अतः अन्यत्’ તેના સિવાય જે અન્ય કાંઈ છે ‘बन्धस्य’ તે બંધનો હેતુ છે. જ્ઞાન અને આનંદના પરિણામ સિવાય બીજું જે કાંઈ એટલે શુભાશુભરાગના પરિણામ