Pravachan Ratnakar (Gujarati). Gatha: 12.

< Previous Page   Next Page >


PDF/HTML Page 157 of 4199

 


જીવ–અજીવ અધિકાર
ગાથા–૧૨

सुद्धो
सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं।
ववहारदेसिदा पुण जे दु अपरमे ट्ठिदा भावे।।
१२।।

शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः।
व्यवहारदेशिताः पुनर्ये त्वपरमे स्थिता भावे।।
१२।।

દેખે
પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨.

હવે, “એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવાયોગ્ય નથી; તેથી તેનો ઉપદેશ છે” એમ કહે છેઃ-

ગાથાર્થઃ– [परमभावदर्शिभिः] જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો [शुद्धादेशः] શુદ્ધ (આત્મા)નો ઉપદેશ (આજ્ઞા) કરનાર [शुद्धः] શુદ્ધનય [ज्ञातव्यः] જાણવાયોગ્ય છે; [पुनः] વળી [ये तु] જે જીવો [अपरमे भावे] અપરમભાવે-અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શકયા, સાધક અવસ્થામાં જ-[स्थिताः] સ્થિત છે તેઓ [व्यवहारदेशिताः] વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાયોગ્ય છે.

ટીકાઃ– જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન (વસ્તુના) ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન (પકાવવામાં આવતા) અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેનો અનુભવ નથી હોતો; તેથી, શુદ્ધદ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા (સુવર્ણના વર્ણ) સમાન હોવાથી, જાણેલો પ્રયોજનવાન છે. પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક